________________
તેવા ગુરને છોડી દેવામાં જ કલ્યાણ છે. કેમ કે જગતમાં ચમત્કાર જેવું કશું જ નથી હોતું. ગુરુ સંસારીક કાર્યોમાં સહાયક બનતા જોવામાં આવે તે પણ ગુરનું યોગ્ય લક્ષણ નથી. સાધના થોડી કરતા હોવાથી ગુરુને કોઈ લબ્ધિસિદ્ધિ મળી હોય તેનો ઉપયોગ સાચા ગુરુ તો સંયમ-સાધનામાં આપત્તિ કાળમાં કરે પરંતુ અનુયાયીઓને આકર્ષવા તો કરે જ નહીં અને કરે તો તે અસદ્દગુરુ સમજવા.
મૂળમાર્ગ કાવ્યમાં શ્રીમજી લખે છે કે :
કરી જોજો વચનની તુલના રે, જો જો શોધીને જિન સિદ્ધાંત”
અર્થાતુ ગુરુનો ઉપદેશ યોગ્ય છે તેવો નિર્ણય કરવા માટે તે ઉપદેશ જિન સિદ્ધાંતની વિરુદ્ધ તો નથી તેની ખાતરી કરવી. માત્ર અંધશ્રદ્ધાથી અનુસરવામાં મોટું જોખમ સમજવાનું છે.
સાચા ગુરુ માત્ર માર્ગ બતાવીને દુર થઈ જાય છે, પુરુષાર્થ આશ્રિત કરવો પડે. ગુરુનું કાર્ય આત્માની મલિનતા દુર કરવામાં સાબુ જેવું છે, પંરતુ પાણી વિના સાબુ શું કરે ? પાણી તો આશ્રિતનો પુરુષાર્થ છે. પ્રભુ મહાવીર ગૌતમને મોક્ષનો માર્ગ બતાવે છે, મોક્ષમાં લઈ જતા નથી તે સ્મરણમાં રાખવું.
%e0%ઇ પ્રશાબીજ 120
તિદિષ્ટિ