________________
બોધપાઠ-૪૫
0 સદ્ગુરુની ઓળખ છે)
9099 9999999 0 0 0 0 0 0
0
ધર્મજીજ્ઞાસુ માનવજીવોની મોટી મુંઝવણ સદ્દગુરુની ઓળખની હોય. છે. બહારનાં દેખાવ, વેશભૂષા, ચિન્હ વગેરે જીવોને ભૂલાવામાં નાંખી દેતા હોય છે. સાચા-ખોટાની સમજ બહારનાં દેખાવથી થઈ શકે જ નહીં ત્યારે શું કરવું ?
કોઈ પણ પદાર્થનો નિર્ણય કરવા માટે ઓળખ કરનારની યોગ્યતા જરૂરી છે, જેમ કે હીરાની ઓળખ માટે ઝવેરીની દૃષ્ટિ જોઈએ જે લાંબા સમયનાં અભ્યાસથી પ્રાપ્ત થાય છે. આવું જ ગુરુને ઓળખવા જીજ્ઞાસુએ લાંબો સમય ગુરુનો પરિચય કરવાનું અનિવાર્ય સમજવું. પરિચય સાથે સદ્ભાવપૂર્વક ગુરુનાં લક્ષણોનું અવલોકન કરવું જરૂરી છે, પોતાની યોગ્યતા વધારવાનું પણ જરૂરી છે. શ્રીમદ્જી લખે છે કે “મુમુક્ષુનાં નેત્રો મહાત્માને
ઓળખે છે... અહીં નેત્ર એટલે આંખ નહીં, પણ જ્ઞાન દૃષ્ટિ-વિવેક સમજવું. કોઈ ગુરુ ચમત્કાર બતાવીને પોતાની મહત્તા બતાવતા જોવા મળે કે તુરત
ની&િઇટને પ્રશાબીજ •19 base