________________
“જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી.”
જીવાત્માએ સદ્ગુરુ મળે તેની ચિંતા રાખવા કરતા અસદ્ગુરુ ન મળી જાય તેની ચિંતા રાખવી જરૂ૨ની છે. અસદ્ગુરુ પથ્થરની નાવ જેવા સમજવા જે બૂડે અને અન્યને પણ ડુબાડે અને આવું પૂર્વે અનંત જન્મમાં જીવે કર્યું છે. તેથી જ તો પરિભ્રમણ ચાલતું જ રહ્યું છે.
પરમકૃપાળુદેવે મધ્યમમાર્ગરૂપે ઉપાય બતાવતા આ.શાસ્ત્રની ગાથા ૧૩માં દર્શાવ્યું છે :
“આત્માદિ અસ્તિત્ત્વનાં, જેહ નિરૂપકશાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર.’’
સદ્ગુરુનો યોગ ન થાય ત્યાં સુધી સત્શાસ્ત્ર કે જે આપ્તપુરુષ (તીર્થંકરકેવળી)ના બોધેલા હોય તેનો આશ્રય પણ સસ્જીજ્ઞાસુ સાધકને ઉપકારી થઈ શકે છે.
*
NKAKE પ્રશાબીજ * 11854KUK®