________________
બોધપાઠ-૪૪
0
અસગુરુ
છે
WWWWWWWWWWWWWWWWWWW
જીવાત્માને સદ્દગુરુનો યોગ પૂર્વનાં પુણ્યથી મળે છે. અસદ્દગુરુનો યોગ સહેજે ઠેર-ઠેર થઈ શકે છે. જેને ધર્મની રૂચિ હોય અને ગુરુનો યોગ ન હોય તેથી કંઈ ગમે તેને ગુરુ માની લેવાય નહીં. પુત્ર યુવાન થયે તે માટે કોઈ સુકન્યા પુત્રવધરૂપે લાવવાની દરેક મા-બાપની ઇચ્છા હોય છે. તે માટે સારું ઘર, સંસ્કારી કુટુંબ, ભણેલી અને સુશીલ કન્યાની અપેક્ષા રહે છે. પૂરી કાળજી લઈને પૂરી તપાસ કરીને નિર્ણય લેવામાં આવે છે, તો પછી જેને આત્મહિત કરવું છે તે ગમે તેવા ગુરથી ન થાય. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથા ૨૪માં યોગ્ય જ કહ્યું છે, “બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં તે માટે ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મનાં, તે ગુરુમાંજ મમત્વ.”
પોતાના કુળ ધર્મ અનુસાર જે સાંપ્રદાયિક ગુરુ બની બેઠા હોય તેમાં મમત્વ રાખે, અંધશ્રદ્ધા રાખીને સેવે અને આવા ગુરુ તો બાહ્ય વેશધારી હોય, આત્મજ્ઞાન પામેલા ન હોય તો જીવને શું ઉપકારી થાય ? તે વિચારવું જરૂરી છે, શ્રીમદ્જી તેને માટે આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથા ૩૮માં કહે છે :
ની&િઇટને પ્રશાબીજ •17 base