________________
પણ ઇચ્છે નહીં કે અશાતારૂપ હોય તો ચિત્તમાં કલેશ ન થતો હોય, વક્તવ્યમાં વાણી એવી તો સાતત્યવાળી હોય કે શ્રોતાને અપૂર્વતા ભાસે, પરસ્પર અવિરોધ કથન હોય, કોઈની નિંદા અંશે પણ વાણી કે વર્તનમાં ન હોય, વાણી દ્વારા કોઈ ધર્મમત કે શાસ્ત્રોની ઉપેક્ષા ન કરે, સયંમપૂર્વકની દિનચર્ચા હોય, કોઈ જીવ પ્રત્યે પક્ષપાત ન હોય, ભક્તો-અનુયાયીઓની સ્વ અર્થે સેવા લેતા ન હોય, માન-મોટાઈની સ્વપ્ન પણ ઇચ્છા ન હોય, નિરર્થક આરંભ-સમારંભથી દૂર રહે, અપરિગ્રહી હોય, સંસારી સંગ-પ્રસંગ પ્રત્યે ઉદાસીન હોય, પોતાની વાત જ સાચી છે તેવો હઠાગ્રહ કે કદાગ્રહ ન હોય, તત્ત્વનું સ્વરૂપ અનેકાંત દૃષ્ટિએ માન્ય કરે અને બોધે, એકાંતે આગ્રહ ક્યારેય ન રાખે અને મુખ્યતાએ પોતે ગુરુ છે તેવો ભાવ ન વેદે, પણ સમસ્ત જગતનાં જીવોનો પોતે શિષ્ય હોય તેવી લઘુતા સિદ્ધ કરી હોય, આ સદગુરુનું યથાર્થ સ્વરૂપ છે. આવા સદ્દગુરુ અનેક જીવોના કલ્યાણનું નિમિત્ત કારણ બને છે. સગુરુનો યોગ જીવને પૂર્વના શુભ કર્મનાં કારણે થતો હોય છે.
%e0%ઇ પ્રશાબીજ 116
કિટિ9િ