________________
બોધપાઠ-૪૨
સાચો સત્સંગી કોણ ?
પ્રત્યેક ધર્મસ્થાનકમાં કોઈને કોઈ પ્રકારે સત્સંગ ઘણું કરીને નિયમિત થતો હોય છે. કોઈ પ્રભાવશાળી વક્તા હોય તો હજારોની સંખ્યામાં સત્સંગીઓ જોડાતા હોય છે. આવું જ નાટક, સિનેમા, જાદુનાં ખેલ, સર્કસ કે રમતગમતનાં ક્ષેત્રમાં પણ ઘણાં લોકો જોડાતા હોય છે. પરંતુ આવા સ્થાનકો તો મનોરંજન માટેનાં છે. જો સત્સંગી પણ મનોરંજન માટે સત્સંગમાં જોડાતો હોય, ધાર્મિક દેખાવા માટે જોડાતો હોય, લૌકિક કે કુળધર્મની મર્યાદાનાં કારણે જોડાતો હોય, નામના-કીર્તિ માટે જોડાતો હોય તો તે સાચો સત્સંગી નથી. સત્સંગનું પરિણમન સત્સંગીના સાંસારિક જીવનમાં-વર્તનમાં ન આવે તો સત્સંગ શા કામનો ? સત્સંગનું સીધું જ પરીણામ સત્સંગીનાં આચરણમાં-સદાચારમાં પ્રતિબિંબિત થવું જ જોઈએ. સદાચાર જ અધ્યાત્મનો પાયો છે તે ભૂલવાનું નથી. કેટલાક નિયમો લક્ષમાં રાખવા યોગ્ય છે.
૧. સત્સંગી કંઈક સારું તત્ત્વ પ્રાપ્ત કરવા માટે સત્સંગમાં જોડાય છે તેવો મનથી પાકો નિશ્ચય કરીને જોડાય.
848 પ્રશાબીજ * 113 Basava