________________
૨. સત્સંગી અહંમનો ત્યાગ કરીને જોડાય. અહંમનો અર્થ, અ = અજ્ઞાન, હ = હું પણુ-કર્તાભાવ અને મ = મમત્વભાવ. કર્તાભાવ અને મમત્વભાવ એજ અજ્ઞાન છે. પરિભ્રમણનું કારણ છે, કર્મબંધનું કારણ છે.
૩. સત્સંગી ભલે શાસ્ત્રોનો અભ્યાસી હોય તો પણ સત્સંગમાં લઘુતાભાવે જોડાય. હું જાણતો નથી પણ જાણવા માટે જોડાયો છું તેવી સ્પષ્ટ સમજ જરૂરી છે.
૪. વક્તાની કસોટી કરવાનો ભાવ સત્સંગીને હાનિરૂપ છે. તે સમજવાનું ખૂબજ જરૂરી માનવું.
૫. અન્ય સાથી-સત્સંગી પ્રત્યે પ્રેમભાવ રાખે, સહકાર કરે, કોઈ પ્રત્યે તુચ્છતાનો ભાવ ન રાખે.
૬. વક્તા પૂર્ણજ્ઞાની ન હોય અને કોઈ વાત ન સમજાય તો પણ વક્તાની નિંદા ન કરે, પણ સત્ય સમજવા બીજા કોઈ પાસે સમાધાન મેળવે અને ચિંતન-મનન પણ કરે.
ØKOK પ્રશાબીજ + 114 parano