________________
૬. “સત્સંગનાં આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.’’
૭. પરમાર્થ ઉ૫૨ પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે.
૮. “જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.’”
૯. જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાનાં દોષને જોવા યોગ્ય છે.’’
૧૦. “જો કોઈ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન ક૨વો; સત્સંગ કરવો યોગ્ય છે.”
૧૧. “સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.”
૧૨. “અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભ જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી.”
૧૩. “સત્સંગ વિના આખું જગત ડુબી રહ્યું છે.”
૧૪. “સર્વપરમાર્થના સાધનમાં પરમસાધન તે સત્સંગ છે.’’
સર્વ ધર્મમત-સંપ્રદાય, સત્સંગ અને ભક્તિનાં પાયા ઉપર જ કાર્યકારી છે. બાહ્ય જપ, તપ, સેવા, પૂજા ઇત્યાદિ તો ઘણું ખરું પરંપરાગત, લૌકિક કે દેખાદેખીથી થતા હોય છે. સત્સંગમાં તો સ્વયં સ્થિરતાપૂર્વક ઉપયોગ જોડવો પડે છે, જેથી તે વિશષ બોધપ્રદ છે. જો કે લૌકિક દૃષ્ટિએ પણ લોકો સત્સંગમાં જતા હોય છે, પરંતુ લાંબા કાળનો આવો સત્સંગ યથાર્થ સત્સંગની રૂચિ કરાવે છે તેમ પણ જોવા મળે છે. સ્વરૂપ લક્ષે સત્સંગ ઉપકારી છે.
*
84848 પ્રશાબીજ +12 POKAR ®