________________
સમાન વિચાર ધરાવતા, સમાન આત્મહિતની ભાવનાવાળા અને તત્ત્વજીજ્ઞાસુ માનવજીવો સાથે મળીને આત્મવિચાર, આત્મજ્ઞાનીનાં બોધનો વિચાર, મહતુપુરુષોનાં ચારિત્રનો બોધરૂપ વિચાર કરે તે સત્સંગ છે. આ પ્રકાર સાધારણ સત્સંગનો છે, જેમાં સશાસ્ત્રનો આધાર લેવાય છે.
કોઈ આત્મજ્ઞાની પુરુષની નિશ્રામાં ઉપરોક્ત ચર્ચા-વિચારણા થતી હોય તે સત્સંગનો બીજો પ્રકાર છે.
મહાભાગ્યથી કોઈ તીર્થકર કે કેવળીભગવંતની નિશ્રામાં રહીને તત્ત્વવિચાર, શંકાનું નિવારણ પામીને આત્મહિતનાં લક્ષથી સાધના-આરાધનાં કરતો થાય તે ત્રીજો પ્રકાર છે.
ત્રણ પ્રકારનાં સત્સંગથી જે જીવાત્મા બોધ પામીને અસંગ-કેવળ અસંગ થઈને નિજસ્વરૂપનાં સંગમાં રહે છે, તે અવસ્થા પરમ સત્સંગની છે, સર્વોત્કૃષ્ટ સત્સંગનું આ સ્વરૂપ છે. સત્સંગનાં બધાંજ પ્રકાર કલ્યાણકારી છે.
Laath Meuolex • 110 BASAUR