SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૪૦ 0 સત્સંગ છે 9099 9999999 0 0 0 0 0 0 0 માનવજીવોને મોક્ષપદની પ્રાપ્તિ માટેનું બળવાન નિમિત્ત આ કાળમાં તો એક માત્ર સત્સંગ છે. માનવજીવો ઠેરઠેર અસત્સંગમાં ઘેરાયા છે. અનેક પ્રકારે અસત્સંગ જીવને સંસારવૃદ્ધિ અને પરિભ્રમણનું કારણ બને છે. જીવાત્મા અસત્સંગ પ્રત્યે સહેજે દોરાય છે તેનું કારણ જીવનો મોહભાવ, ભ્રાંતિ અને અજ્ઞાન છે. આ ત્રણે કારણોનો ક્ષય કરવા માટે સત્સંગ ઉત્તમ સાધન છે તેવો નિશ્ચય કરવાનું જરૂરી છે. તે માટે સત્સંગનું સ્વરૂપ જાણવું પણ જરૂરી છે, નહીં તો સત્સંગને નામે અસત્સંગનું પણ આરાધન થઈ જવા સંભવ છે. સતુ તે શુદ્ધાત્મા છે, જીવાત્માને અનાદિનાં દ્રઢ સંસ્કાર દેહભાવનાં છે. દેહને જ પોતાપણે માને છે કે પોતાનો માને છે. જે મોટી ભ્રાંતિ છે. દેહનાં સંયોગમાં જીવાત્મા અનાદિથી છે, પરંતુ તેથી તે ક્યારેય દેહરૂપ થયો નથી કે દેહ ક્યારેય જીવરૂપ થયો નથી. આ પરમ સત્ય છે તેવો સર્વજ્ઞાનીનો અભિપ્રાય છે, આવું જ્ઞાન જીવાત્માને સત્સંગનાં માધ્યમથી જ મળી શકે છે. ની&િઇટને પ્રશાબીજ ... 109 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy