________________
હોય તેને ગૃહસ્થાદિ વહેવાર ન હોય એવો નિયમ નથી.” ૧૭. “વિષય-કષાય સહિત મોક્ષે જવાય નહીં.” ૧૮. “જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય
ત્યાં મુનિપણું ન જ સંભવે.” ૧૯. “આત્મા શાથી, કેમ અને કેવા પ્રકારે બંધાયો છે, આ જ્ઞાન જેને થયું
નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેવું જ્ઞાન પણ
થયું નથી.” ૨૦. “જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે વર્તવું.” ૨૧. “આત્મભાવની વૃદ્ધિ કરજો; દેહભાવને ઘટાડજો.” ૨૨. “જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવ રૂ૫ છે.” ૨૩. “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે
ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો દેહનો) ઉપયોગ
કરવો.” ૨૪. “આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય જ્યારે
એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે.” ૨૫. “આત્મસિદ્ધિશાસ્ત્ર વિશેષ વિચારવા યોગ્ય છે.” ૨૬. “જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ
આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં.” ૨૭. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.”
આ પ્રકારે જે વચનો લખ્યા છે તેને સૂક્ષ્મતાએ વિચારતા, આત્મભાવના
ની&િઇટને પ્રશાબીજ • 107 base