________________
૪. “આત્મજ્ઞાન છે તે સ્વરૂપ સ્થિતિ છે.’
૫. “સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે.’
૬. “દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે ?” “જેને દેહની મૂર્છા ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય.”
૭. વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે, તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે.’’
૮. જેને આત્મજ્ઞાન નથી તેનાથી ક્લ્યાણ થાય નહીં.”
૯. જેને અનુભવ થયો છે એવા અનુભવીનાં આશ્ચર્ય, તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન (આત્મજ્ઞાન) થાય.’’
૧૦ “આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઈનાં શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઈનાં (વરદાનથી) આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી.' પુરુષાર્થ પ્રમાર્ગે થાય છે, માટે પુરુષાર્થ (સત્પુરુષાર્થ)ની જરૂર છે.’’
૧૧. “આત્મજ્ઞાન વિચારથી (આત્મવિચારથી) થાય છે.’’
૧૨. “આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય ''
૧૩. 'રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી. વર્તમાનમાં થતી નથી, ભાવિકાળે થઈ શકે તેમ નથી.*
૧૪. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે." ૧૫. ‘“એકમાત્ર જ્યાં આત્મ વિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જ્વનાં સ્વરૂપથી જીવાય છે." ૧૬. ગૃહસ્થાદિ વ્યવહારવર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન
#C# પ્રશાબીજ + 106 #CKER