________________
બોધપાઠ-૩૯
(આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૪ (૯)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીએ આત્મચિંતનનું સેવન કેટલું પ્રગાઢ કર્યું છે તે તેમનાં જ કેટલાક વચનોથી જણાય છે. ૧. “આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ એકજ
છે.” “માત્ર શબ્દ જુદા છે.” ૨. “બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો
હોય, પણ તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ
પ્રગટ થતો નથી.” ૩. દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે
છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ
જાય.”
હાઇakી
પ્રજ્ઞાબીજ •105