________________
ઉડાડ્યો હશે ? એમ અહીં પરમકૃપાળુદેવે જિનેશ્વરના પરોક્ષ ઉપકાર કરતાં પ્રત્યક્ષ સગરના ઉપકારને વધારે બળવાન, વધારે ઉપકારી જણાવ્યો છે તે એના ગુપ્તભેદને જાણ્યા વિના કર્યું છે ? અદ્ભુત છે !
‘આત્મસિદ્ધિમાં તો જેટલું અંદર ખેડાણ કરીએ એટલો નવો-નવો પ્રકાશ પડતો જાય. કઈ અપેક્ષા છે આમાં ? શું કહ્યું છે ? પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીનાં ગાણા ગાયા કરે અને વર્તમાનની અંદર સામે પ્રત્યક્ષ સદ્ગુરુ હોય અને એની ઉપેક્ષા કરે અને એનું ઉપકારીપણું જો જીવથી વેદાય નહીં તો એને આત્મવિચાર ઉત્પન્ન જ ન થાય. કારણ કે એ પરોક્ષના ગુણ ગાયા કરે છે પણ એનાથી એને આત્મદર્શન થવાની યોગ્યતા તો આવી જ નહીં. અને સામે પ્રત્યક્ષ સદૂગુરુ હોય અને એમાં રહેલું ચેતન એને જો ન દેખાય તો ગુણ-ગાન શું કામના ? એ જીવ શું સમજ્યો ? એનામાં એનાથી શું પરિણમન આવ્યું ? ઓળખી તો શક્યો નહીં. ‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર. પ્રત્યક્ષ સદ્દગુરુ છે એ ભ્રાંતિના છેદક છે. જીવનો જે દોષ હોય એને જાણે અને કઢાવી શકે. એ જીવ જ્યાં ભૂલ્યો હોય ત્યાંથી એ ભૂલ સુધારીને એને આગળ વધારે. એને માર્ગમાં આગળ વધવા ધક્કો આપે. એ ભૂલભૂલામણીમાં પડ્યો હોય તો ભોમિયા જેવું કામ કરે. અને એને યોગ્ય રસ્તે ચડાવી દે. આવા પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ મને પ્રાપ્ત થવો જોઈએ. આવા સદૂગુરનો યોગ થવો સમાપ્ત થાય છે ત્યારે ધરતી ઉપર મોક્ષમાર્ગ પણ વિચ્છેદતા ને પામે છે. આ ભરતખંડની અંદર શ્રુતકેવળી એવા જંબુસ્વામી છેલ્લો મોક્ષે ગયા પછી મોક્ષમાર્ગ અદેય થવા લાગ્યો. જંબુસ્વામી પછી કોઈ મોક્ષે ગયું નથી એમ કહે છે.
કારણ આવો પ્રત્યક્ષ સદ્દગુરુ – તીર્થકર કોટીનો પુરુષ એનું જીવને ઓળખાણ થયું નથી. જીવ પરોક્ષ જિનના ઉપકાર ગાયા કરે છે પણ પરોક્ષ જિનના સ્વરૂપને ઓળખ્યા વિના ગાયા કરે છે. એટલે આ વાત અહીં મૂકી છે. તે ગહન છે. કે પ્રત્યક્ષ સદ્ગુરુ તને જિનનું ઓળખાણ કરાવશે કે જેના તું ઉપકાર ગાશ. જિનનું સ્વરૂપ કેવું છે ? જિન કેવા છે ? જિન કોણ ? અરિહંત છે એ સિદ્ધનું સ્વરૂપ દર્શાવે છે. અરિહંત છે એ સિદ્ધપદ શું છે એ જીવને બતાવે છે. માટે નમસ્કાર મહામંત્રમાં પહેલો નમસ્કાર અરિહંતને છે અને બીજો નમસ્કાર સિદ્ધને છે. મારે થાવું છે સિદ્ધ. અને ભૂલથી જો બીજી ભ્રાંતિમાં ચડી ગયો તો જેમ વિનાયકને બદલે વાનરનું ચિત્ર દોરાઈ જાય એવું બની જશે. એમ આ સદ્દગુરુ છે એજ મને આ સિદ્ધ પરમાત્માનું ઓળખાણ કરાવી શકે. કારણ કે સિદ્ધ પરમાત્મા અરૂપી છે. અમૂર્ત છે. એનું સ્વરૂપ કેવળ અનુભવગોચર છે. એ હવે વાણીનો વિષય નથી. તો આવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ હું મારી રીતે તો નહીં સમજી શકું. મને કોઈ આવો સદૂગરનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. અને એ યોગ પ્રાપ્ત કરવામાં કોઈપણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતુ પ્રાપ્ત કરી શકતો નથી.
સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે. સતુ સમજાય છે. સતુનો માર્ગ મળે છે. સતુ પર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.” (પ-૧૯૮). કારણ કે આ ગુરુ એ માર્ગ પ્રકાશક છે. એ પદ પ્રકાશક છે. ભ્રાંતિ ન થવી જોઈએ. એટલે અહીં કહે છે કે પ્રત્યક્ષ એવો ભ્રાંતિનો છેદક પુરષ જોઈએ. એની શોધ કરવાની છે. અને જ્યારે જીવ મોક્ષને પામે છે – તદ્દભવગામી જીવ હોય એ આવા સદૂગરના સાન્નિધ્યમાં જ હોય. આ એક
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 66 EE