________________ 3. કર્મગ્રંથિથી નિવૃતિ. 4. રીત, ઉપાસના, સાધના - જેનાથી કેવળ, આભાસ વિનાનો આત્મા પકડાય એજ લક્ષ. એના સિવાય બીજું લક્ષ નહીં. એવી સાધના. એવી આરાધના. એવી ઉપાસના. 5. વિતરાગતા - સદ્ગુરુના બોધ, સદ્ગુરુનાં આશ્રયે. એમણે જે વસ્તુનું સ્વરૂપ કહ્યું છે એમાં એની વાત માન્ય કરવી. અને તારો પુરુષાર્થ, તારું પરાક્રમ, તારું વીર્ય બળ સાધનામાં લગાડ. અમે તો સાધુને એટલે વંદના કરીએ છીએ કે, “સંયમ શૂરા બનવા રે.” સંયમમાં શૂરવીર તું બનજે. અને બોધ, સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ બતાવશે. સદ્દગુરુ તને દૃષ્ટિ આપશે અને કર્મેન્દ્રિયનું જોર તું લગાવજે. પુરુષાર્થમાં મંડી પડજે. આ અચૂક ઉપાય છે. આ ઉપાય વ્યર્થ નહીં જાય, fail નહીં થાય. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 254 GiE