________________
અને વીખરાવું – એવો પુદ્ગલ પરમાણુનો ગુણ છે. અને એ પુદ્ગલ પરમાણુઓ અનંતાઅનંત છે. એ એની જુદીજુદી વર્ગણાઓ છે. અને એમાં એક આહાર વર્ગણાના નામનું જુથ છે. એ આહાર વર્ગણાના પુદ્ગલ જીવ ગ્રહણ કરે છે ત્યારે એના શરીરનું બંધારણ થાય છે અને એ બંધારણમાંથી પાછા કેટલાય પુગલ પરમાણુ નાશ પામે છે. “દેહ માત્ર સંયોગ છે.” જેવો જભ્યો એવો જ જીવ જિંદગીભર નથી રહેતો. શરીરમાં-વજનમાં વધ-ઘટ થાય છે. માપ-સાઈઝ બધું બદલાય છે. તેથી એક જ સાઈઝના કપડાં જિંદગીભર ચાલતા નથી. છોકરાના કપડાં દર બાર મહિને નવાં કરાવવાં જ પડે. કારણ કે તેનું શરીર વધતું હોય તો આ શરીર શેનાથી વધું ? આ શરીરનું માપ શેના આધાર ઉપર છે ? શાશ્વત છે ? સનાતન છે ? ના. વધઘટ છે. કેમ કે તે પરમાણુનો સંયોગ છે.
દેહ માત્ર સંયોગ છે.” આ શરીરની પ્રક્રિયા છે. આપણે જેને અનુભવીએ છીએ એનો વિચાર આપણે કરતાં નથી. શરીરની વધ-ઘટ ચાલ્યા કરે. ચાલીસ વર્ષ થાય એટલે શરીર સ્થિર થઈ જાય. પછી અંદર ગમે તેટલું સાચું ઘી નાખો તો પણ હવે એનું બંધારણ નથી થતું. પછી કોઈક શરીર-વિજ્ઞાની કહે કે ભાઈ ! આમાં કોઈ ફેરફાર થાય નહીં અને પચાસ વર્ષ પછી શરીર ક્ષીણતાને પામે. એની મેળે, એનાં જે પરમાણુ ભેગાં થયા હતા – તે વિખરાવા મંડે. પછી ઘી-દૂધ-મેવા-મીઠાઈ-ખાંડ બધુ આપવા છતાં ચંટિયામાંથી શક્તિ ચાલી જાય છે. પહેલાં જેવી તાકાત નથી રહેતી. કળતર થાય છે. બેસતું નથી. ગોઠણ જકડાઈ જાય છે, હલાતું નથી. તો આ શક્તિ ક્યાં ગઈ ? શરીર તો એમને એમ જ છે. તો અંદરની શક્તિ અદશ્ય કેમ થઈ ગઈ ? આખા શરીરનો બાંધો અને એનું બંધારણ પરમાણુને આધિન છે. દેહ માત્ર સંયોગ છે, વળી જડ, રૂપી અને દૃશ્ય.” આ શરીરનું લક્ષણ જ્ઞાની આપણને સમજાવે છે. કે એ તો જડ છે. એનામાં જાણકારી નથી. એનામાં ચૈતન્ય ગુણ નથી. રૂપી છે – એ તો દેખાય એવું છે. શામળો હોય કે રૂપાળો હોય - પણ દેહ એ રૂપી છે. આ બધાં પુદગલનાં ખેલ છે. દૃશ્ય – એ તો કોઈ દેખનારનો વિષય છે. દૃષ્ટાનો વિષય છે.
“ચેતનનાં ઉત્પત્તિ લય કોનાં અનુભવ વય ?’ આ ચેતનની ઉત્પત્તિ કેવી રીતે થાય ? દેહની. ઉત્પત્તિ તો સમજાવી દીધી. અને ચેતન ઉત્પન્ન થયો — વિકસિત થયો – ક્ષીણ થયો – નાશ પામ્યો – એવો અનુભવ કોને થયો ? “દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ' આવું કીધું કોણે ? દેહ પછી ચેતન ઉત્પન્ન થયો તો દેહે જાણ્યું ? દેહ તો જડ છે અને ચેતન ગયો તો દેહ કેવી રીતે જાણે કે આનો-ચેતનનો નાશ થઈ ગયો ? આમાનો નાશ થઈ ગયો – એમ કહીશ તો કોણે જાણ્યું ? ભાઈ ! તું વિચાર કર. વિવેક લગાવ. આ વિવેકના – વિચારના અભાવમાં આ મુકેલી છે. એટલે પરમકૃપાળુદેવે કહ્યું,
એના વિચાર, વિવેક પૂર્વક, શાંત ભાવે જો કર્યા;
તો સર્વ આત્મિક જ્ઞાનના; સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” તું આ બધાનો વિચાર કર, પણ એના માટે તે શરત છે : (૧) એક તું જગતના સાવદ્ય પાપ વ્યાપારથી નિવૃત્ત થા અને શાંત થા અને (૨) બીજું વિવેક તારી બુદ્ધિની સંજ્ઞા – એ પ્રજ્ઞાપણું બરાબર
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 172
=