________________
હર્ષમાં, ક્યારેક શોકમાં, આ ક્યારેક શુભમાં, ક્યારેક અશુભની અંદર, આ ક્યારેક રાગમાં, આ ક્યારેક દ્વેષમાં, જે આત્માની તમે વાત કરી તે તો સમયે સમયે પલટાતું સ્વરૂપ છે. માટે વસ્તુ ક્ષણિક છે ક્ષણે ક્ષણે પલટાય.” એ અનુભવથી પણ એમ થાય છે કે આત્મા છે ખરી. પણ નિત્ય નથી. એટલે આત્મા નિત્ય છે. એ વાત બેસતી નથી. એટલે ભગવાન તરત જ શિષ્યને સમાધાન આપે છે.
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય;
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? (૬૨)
દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દૃશ્ય એટલે બીજા કોઈ દૃષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનમાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુઓનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી. તેથી ચેતન તેમાં નાશ પન્ન પામવા યોગ્ય નથી. વળી તે દેહરૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળો છે, અને ચેતન દૃષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ કોણે જાણ્યું ? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? એ
આમ કહેનાર કોણ " ચેતન પહેલાં દેશના યોગથી ઉપજે છે અને દેશના વિયોગથી નાશ પામે છે. ભાઈ ! આ બંનેનું સ્વરૂપ સહચારીપણે છે. જીવ અને કાયા પદાર્થ પણે જુદા છે. પણ સંબંધ પણે સહચારી છે. પરમાર્થે તે જુદાં છે. પદાર્થપણે તે બંને તદ્દન ભિન્ન છે. કારણ કે દેહનું સ્વરૂપ એ તો પરમાણુનો સંયોગ છે. માતાના ગર્ભની અંદર, એક ચેતન ફરતો ફરતો પોતાનું ગતિ કર્મ લઈને આવે, અને માતા-પિતાના સંયોગનો સંબંધ મેળવી અને ત્યાં એ શરીરની રચના કરવાનું શરૂ કરે. ચેતન શરીર લઈને આવતો નથી. માતાના ઉદરમાં બંધાયેલું એ શરીર પછી જગતમાં આવે. અને ત્યાર પછી પણ ૩૦ વર્ષ સુધી એનું શરીર બંધાય છે તે પણ આહાર-પરમાણુના યોગથી આ શરીર બંધાય છે. અને એની આહાર અને વિહાર બંને ક્રિયાઓ ચાલે છે. શરીરની વૃદ્ધિ પણ થાય છે અને ઉત્સર્ગની ક્રિયા પણ ચાલુ રહે છે. માત્ર શરીરને બંધાવા માટે આહારના પરમાણુ લીધા અને કોઈને ઉત્સર્ગની ક્રિયા ન હોય તો ? મળ-મૂત્રપસીનો ન હોય તો ? આખા દેહની રચનાનું તંત્ર, પરમાણુનો સંઘાત અને ભેદ – પ્રમાણે ચાલે છે. આ પુલ પરમાણુઓ ભેળા થાય અને અનાવશ્યક પરમાણુઓ વીખરાઈ જાય, શરીરમાં આપણે કેટલાય પરમાણુઓ આહા૨માંથી, વાયુમાંથી, જડમાંથી, સૂર્યની અગ્નિમાંથી ગ્રહણ કરીએ, પૃથ્વીમાંથી ગ્રહણ કરીએ. આ શરીર એ પરમાણુનો સંયોગ છે. વાયુ વિનાની સ્થિતિમાં જીવને મુકી દેવામાં આવે તો જ આપણે માત્ર આહાર નથી લેતા. હવામાન પણ આપણને અસર કરે છે. કારણ કે વાયુમાંથી પણ આપણે પરમાણુ ગ્રહણ કરીએ છીએ. પાણી દૂષિત થઈ ગયું હોય અને આહાર ઉત્કૃષ્ટ હોય તો પન્ન શરીરને અસર થાય. કારસ કે બધાં પુદ્ગલના પરમાણુ છે. આ પુદ્ગલના પરમાણુનો સંઘાત અને ભેદ એ એનો ગુણ છે. ભેળા થવું
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 171
O