________________
આ જગતમાં કોઈ પુણ્ય નથી. અને બીજાને પીડા આપવા જેવું આ જગતમાં કોઈ પાપ નથી ' તુલસીદાસજીએ વાલ્મીકીએ લખેલા રામાયણની ‘રામ-રિત-માનસ’ના રૂપમાં નવરચના કરી. અદ્ભુત મહિમા એનો ગાયો. પણ એમાંથી આપણે ગ્રહણ કરવા યોગ્ય સૂત્ર એક જ, પરહિત, સમ ધરમ નહીં સરસાઈ, ૫૨ પીડન સમ નહીં અધમાઈ.’
બીજાને પીડા આપવા જેવી દુનિયામાં બીજી કોઈ અધમાઈ નથી. પોતાના થોડા સુખને ખાતર અનેક જીવોને કો ઊભા કરી દેવાં. કૃપાળુદેવના જીવનનો પ્રસંગ છે કે 'રાયચંદ દૂધ પીએ છે. લોહી નહીં.” ધંધો કરવાનો મતલબ એ નથી કે કોઈને લૂંટી લેવો. પૈસા કમાવાનો એ મતલબ નથી કે ગમે તે પ્રકારની અનીતિ અને ભ્રષ્ટાચાર કરીને કોઈને ઘરબાર વિનાનો કરી મૂકવો. આ કોઈ અર્થ-ઉપાર્જનનો નિયમ નથી. ભાઈ ! ધર્મના આધાર ઉપર, ધર્મના અનુષ્ઠાન ઉપર, કામ અને અર્થની વ્યવસ્થા હોય એવી આ ભારતવર્ષમાં ધર્મની વ્યાખ્યા છે. એવા આ દેશમાં ધર્મના બાંધા છે. આ તો ઋષિ સંસ્કૃતિ છે. આ ઋષિમુનિઓએ, ત્યાગીઓએ, તપસ્વીઓએ, આ જીવનના બાંધા બાંધ્યા છે, કે જગતના કોઈ જીવ, પ્રાણીમાત્ર પણ દુઃખ ને ન પામે. જો આ આચારસંહિતાને આપણે સાચવી શકીએ તો પ્રાણીદયા’ આવે. ‘દયા
ધર્મકા મૂલ હૈ. પાપ મૂલ અભિમાન.
·
તુલસી, દયા ન છાંડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ.’
દયા ક્યારેય છોડવી નહીં. દયા વિનાનો માનવી, નિષ્ઠુર બને છે કે જેને જગતના ચૈતન્ય દ્રવ્ય પ્રત્યે દયા નથી. કેમ કે જે દુઃખી થાય છે એમાં જડ દુ:ખી થતું નથી. નાનું જંતુ પણ ચૈતન્ય છે એ દુઃખી થાય છે. નાનો એવો જીવ દુભાય છે તો ત્યાં ધર્મ નથી. વનસ્પતિમાં જીવ છે એ તો આજનું વિજ્ઞાન આજે જાણે છે. જૈનદર્શને તો ક્યારનું કહ્યું છે કે પાણીમાં, વાયુમાં, અગ્નિમાં, પૃથ્વીમાં, વનસ્પતિમાં અનંતા જીવો છે. એટલે કૃપાળુદેવે તો એક કાવ્યમાં અદ્ભુત કહ્યું છે
પુષ્પ પાંખડી જ્યાં દુ:ભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.’
ભાઈ ! એક પણ જીવને દુઃખ દઈને તારે જગતના પદાર્થનું સુખ મેળવવું એવી જિનેશ્વરદેવની આજ્ઞા નથી. પ્રાણીયા એ ધર્મનું અધિષ્ઠાન છે.
સત્ય, શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાા;
દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ.’
ભાઈ ! આ બધાનો આધાર દયા છે. આવી પ્રાણીદયા જ્યાં હોય ત્યાં આત્માર્થનો નિવાસ થાય.
એવો આત્માર્થી જીવ પોતાના આત્માર્થને પામી શકે.
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. (૩૯)
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 126
O