SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૯૨) યુગદષ્ટિસમુચ્ચય सर्वत्राद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥२११॥ સર્વત્ર અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રીતિવંત; દયાળુ તેમ વિનીત આ, યદ્રિય ધવંત ૨૧૧. અર્થ —અને એઓ (કુલગીએ) સર્વત્ર અદ્વેષી, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા, તથા દયાળુ. વિનીત, બેધવંત અને યતેંદ્રિય હોય છે. વિવેચન અષી ગુરુ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી.” – સઝા. ૮ અને આ કુલગીઓ તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે સર્વત્ર અહેવી હોય છે, ધમપ્રભાવને લીધે, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા હોય છે કિલષ્ટ પાપના અભાવને લીધે પ્રકૃતિથી દયાળુ હોય છે; કુશલાનુબંધી ભવ્યતાથી વિનીત હોય છે; ગ્રંથિભેદથી બેધવંત હોય છે, અને ચારિત્રભાવથી યતેન્દ્રિય-જિતેંદ્રિય હોય છે. સર્વત્ર અદ્વેષી આ કુલયોગીઓ કે જે યોગીકુલમાં જન્મ્યા છે અને ગિધર્મને જે અનુસરનાર, છે, તેઓ સર્વત્ર-સર્વ સ્થળે અષી હોય છે, તેઓને જગતમાં ક્યાંય પણ દ્વેષ હેતે નથી; કારણ કે તેઓને દ્વેષના કારણરૂપ કઈ પણ પ્રકારના ગ્રહને-મિથ્યા આગ્રહનો સર્વથા અભાવ હોય છે, એટલે દ્વેષનો પણ અભાવ હોય છે. દ્વેષનું કારણ ગ્રહ હોય છે, પિતે ગ્રહેલા-પકડેલા મતથી જે કઈ વિરુદ્ધ પડે તે ગ્રહગ્રસ્ત મતાગ્રહીને તરત જ ઠેષ ઉપજે છે; કારણ કે મતાથીને પિતાના મતને “મમત” હોય છે, આ મહારો મત છે એવા મમત્વને લીધે તેથી વિરુદ્ધ જનારા પ્રત્યે તે ગુસ્સે થાય છે ! મતાગ્રહી “મારે તે સાચું' એમ માને છે, અને સગ્રાહી ‘સાચું તે મારું એમ માને છે. તેથી મતાગ્રહી પિતાની માન્યતા પ્રમાણે ઘસડાતે હેઈ યુક્તિને પણ જ્યાં પોતાની મતિ અભિનિવિષ્ટ છે, ત્યાં ખેંચી જાય છે, અને સદાગ્રહીને તે જ્યાં યુક્તિ છે ત્યાં મતિ સ્વયં પ્રવેશ કરે છે. આગ્રહીનું મનરૂપી વાંદરૂં યુક્તિરૂપી ગાયને પૂંછડેથી “ખેંચે છે ! અને નિરાગ્રહી જૂત્તિ–સર્વત્રષિરે અને એમાં સર્વત્ર અષી હોય છે, તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે. તથા– વક્રિક્રિયા:-ગુર, દેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા,-ધમ પ્રભાવને લીધે. તથા-વાવ-દયાળ પ્રકૃતિથી, કિલષ્ટ પાપના અભાવથી, વિનીતાશ્ચ-અને વિનીત,-કુશલાનુબંધી ભવ્યતાથી, તથા વધવરોધવંત-ગ્રંથિભેદથી, તેન્દ્રિયાયતંદ્રિય, ચારિત્રભાવથી હોય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy