SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮૨) ગદષ્ટિસમુરચય અધિકારી યોગીઓ છે,-બીજા નહિ; કારણ કે ગોગીને તથા પ્રકારની યોગ્યતાની અસિદ્ધિ હોય છે, તેથી તેઓ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ચગીને તે તથા પ્રકારની યોગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેઓને હવે આવા ગગ્રંથનું પ્રજન રહ્યું નહિં હેઈ તેઓ પણ અત્ર અનધિકારી છે. પ્રત્યેક વસ્તુ પોતપોતાની યોગ્યતાનુસાર–અધિકારાનુસાર શોભે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ પરમાર્થરૂપ શાસ્ત્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધર્મસાધનને “પાત્ર વિના અધિકાર ઘટે છે. “ધિવિરારા ધર્મસાધનસંસ્થિતિઃ' –એ વસ્તુ ન રહે.” શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનું સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર માટે જેમ યથાગ્ય ગુણની જરૂર પડે છે, તેમ આ યોગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાયોગ્યતાની જરૂર અનિવાર્ય છે. સામાન્ય વિદ્યાભ્યાસ માટે જેમ ઉત્તરોત્તર ક્રમે વધતી યોગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ યોગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર ક્રમે ચઢતી યુગભૂમિકારૂપ યોગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લૌકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયોગ્ય વિનય, વિવેક, સમજણ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણરૂપ યોગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયોગ્ય ગુણસ્થિતિરૂપ ગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની ચેગ્યતા કુલગી પ્રવૃત્તચક યેગીઓમાં અવશ્ય હોય છે, એટલા માટે તેઓ જ આ મેગશાસ્ત્રના અધિકારી છે, તેઓ જ આ પરમાર્થશાસ્ત્રના સતુસંસ્કાર ઝીલવાને સુગ્ય સુપાત્ર છે. (જુઓ. પૃ. ૨૫૨, આત્મસિદ્ધિની ગાથા ). બાકી જે ગેaોગી છે, તેઓને આ ગશાસ્ત્રને અધિકાર ઘટતું નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયોગ્ય ગુણભાવ તે નથી, “ગ” એગ્ય યોગની સિદ્ધિને અભાવ હોય છે, એટલે તેઓને વેગને અગ છે. જેમ અગ્યને રાજ્યપદવી અનધિકારી ઘટતી નથી, તેમ આ અયોગ્ય ગોત્રગીને વેગ-રાજ્ય પદવી ઘટતી ગેત્રયેગી નથી. અબુધ એવા મૂખને જેમ વિઠનમંડળીમાં પ્રવેશ શેભતે નથી, તેમ આ અબુધ યોગીને ગમંડળીમાં પ્રવેશ શોભતે નથી. એકડો હજુ નથી આવડત તે એકડીઆને જેમ સાતમી ચોપડીમાં બેસવાનો અધિકાર ઘટતા નથી, તેમ ગમાર્ગને પ્રાથમિક યોગ્યતારૂપ એકડો પણ હજુ જેણે ઘુંટ્યો નથી તે અયોગીને આ ઉચ્ચ યોગશાસ્ત્રવર્ગમાં સ્થાન લેવાનો અધિકાર ઘટતું નથી. આમ પ્રાથમિક યોગ્યતાથી પણ રહિત એવા ગોત્રગીઓ અપાત્ર હેઈ અત્ર અનધિકારી છે. અને જે નિષ્પન્ન ગીઓ-સિદ્ધ ગીઓ છે, તે પણ આ યોગશાસ્ત્રના અધિકારી
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy