SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭૬) યોગદષ્ટિસમુચ્ચય યેગમાર્ગમાં–મોક્ષમાર્ગમાં મતદશનભેદના તુચ્છ આગ્રહને અવકાશ ક્યાંથી હોય ? પિતાનો સિદ્ધાંત કે પારકે સિદ્ધાંત એ ભેદ મુમુક્ષુ યોગીઓને ક્યાંથી હોય ? ત્યાં તે દષ્ટ-ઈષ્ટથી અબાધિત એ જે સત્ય તત્વપ્રતિપાદક સિદ્ધાંત હોય, તેનું જ મુક્ત કંઠે ને ખુલ્લા હૃદયે ગ્રહણ હોય; જે કંઈ પણ રીતે “આત્મા આત્મત્વ પામે” એ જ રીતિ ત્યાં પ્રમાણ હેય. (જુઓ પૃ. ૩૯૭-૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬) "आत्मीयः परकीयो वा का सिद्धांत: विपश्चिताम् । દરેણાવાયત્તો ચરતુ ચુસ્તબ્ધ પરિબડ્ડઃ ” – બિંદુ, પ્લે. પ૨૪. એટલા માટે મતદશનને જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિ એવા આ પરમ યોગાચાયે એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હોય, તે અત્યંત યુક્તિયુક્ત છે; કારણ કે સર્વ દશનેને સમન્વય (Unity) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હેઈ, અન્ય દર્શનેક્ત યુગને સ્વદર્શકત યેગમાં સાંગે પાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત-દર્શનના આગ્રહ વિના સર્વ દશનીઓના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ ! આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથને ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દષ્ટિભેદથી વેગનું કથન–એ છે, અર્થાત્ યોગદષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે ગન વિભાગ કરવામાં આવ્યું છે. દષ્ટિભેદથી ઉપરમાં પ્રત્યેક દૃષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ યોગદષ્ટિ ગથન આત્માનો આધ્યાત્મિક વિકાસ સૂચવનારી “આધ્યાત્મિક યંત્રપદ્ધતિ (Spiritual Instrument) છે. જેમ જેમ આ ગદષ્ટિ ઉન્મીલન પામતી જાય છે-ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ ગભૂમિકા પર આરૂઢ થતો જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્મીલન-વિકાસ થતાં પરમ યેગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાણ્યું છે તેમ-થર્મોમીટર (Thermometer), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણતાનું માપ થઈ શકે છે, તેમ આ “યોગદષ્ટિ’ રૂ૫ આત્મદશામાપક આધ્યાત્િમક યંત્ર ઉપરથી આત્માની વિકાસરૂપ આત્મદશાનું માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચૌદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદષ્ટિરૂપ વિશિષ્ટ પદ્ધતિ પણ છે. આવે આ યોગદષ્ટિ ગ્રંથ સંક્ષેપથી શું અર્થે ગુંથવામાં આવે છે ? તેનું શું
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy