SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર: સિંધુ-બિંદુ, વૃક્ષ-બીજના દષ્ટાંત ગ્રંથકારની મહત્તા (૬૭૫) જે પ્રમાણે વિસ્તૃત રૂપમાં છે, તે અત્ર બીજરૂપ યોગશાસ્ત્રમાં સંક્ષિપ્ત સ્વરૂપે (In Concentrated & condensed form) છે. અખિલ યોગશાસ્ત્ર વૃક્ષમાંથી સંક્ષેપ કરતાં જેમ આ યોગશાસ્ત્ર-બીજની ઉત્પત્તિ છે, તેમ આ યેગશાસ-બીજને વિચાર-વિસ્તાર કરતાં તેમાંથી સમસ્ત ગશાસ્ત્ર વૃક્ષની ઉત્પત્તિ સંભવે છે. આમ આખા યોગશાસ્ત્ર વૃક્ષનું સંપૂર્ણ તત્વમય સત્વ આ એક યેગશાસ્ત્ર-બીજમાં એકત્ર આવી વસ્યું છે. એવું આનું આશયશક્તિરૂપ અદ્ભુત સામર્થ્ય છે ! માત્ર તેની વ્યક્તિ કરનાર–જનાર કુશળ સાચો જિજ્ઞાસુ તત્ત્વગવેષક સંશોધક જોઈએ ! અસ્તુ! વળી એક અપેક્ષાએ સૂફમને સ્થૂળ રૂપ આપવું સહેલું છે, પણ સ્થળને સૂક્ષ્મ રૂપ આપવું જેમ સહેલું નથી; અથવા નાના ચિત્રને મેટું બનાવવું સહેલું છે, પણ મોટાને નાનું બનાવવું જેમ હેલું નથી, તેમ સંક્ષેપને વિસ્તાર કરવો તે સહેલું છે, પણ વિસ્તારને વિસ્તારનો સંક્ષેપ કરે સહેલું નથી. એટલે અનેક યેગશાસ્ત્રીરૂપ સંક્ષેપ દુષ્કર કામધેનુને દેહને, તેમાંથી આ સંક્ષેપરૂપ નવનીત ખેંચી કાઢી સર્વસુલભ કરી આપવું,એ કંઈ જેવું તેવું–નાનું સૂનું કાર્ય નથી, મહાદુર્ઘટ કાર્ય છે,–ઉત્તમ કળાનું કામ છે. અને તેવી સંક્ષેપ સંકલનારૂપ ઉત્તમ કળાકૃતિ કરવામાં આ આચાર્યશ્રી એક્કા છે, પરમ કુશળ છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાંખવાની એમની સિદ્ધહસ્ત અદૂભુત કળામય ચમત્કૃતિ એમની પ્રત્યેક કૃતિમાં દષ્ટિગોચર થાય છે. થોડું લખ્યું ઝાઝું કરી જાણો –એ લેક્તિ એમની આ અનોખી વિશિષ્ટ શૈલીમાં ચરિતાર્થ થતી જણાય છે. પાતંજલ આદિ અનેક યોગશાસ્ત્રોમાંથી આ સંક્ષેપથી સમુદ્ધત છે”—એ ઉપરથી મહાત્મા ગ્રંથકારે પોતાની લઘુતાને, નિરભિમાનિતાને, કૃતજ્ઞતાને, પ્રમાણિકતાને, નિભતાને, સરળતા, મહાનુભાવતા, ઉદારતાને, નિરાગ્રહતાને, ગ્રંથમરની મધ્યસ્થતાને ને સર્વ દર્શન પ્રત્યે સમભાવરૂપ સહિષ્ણુતાનો પરિચય મહત્તા આપણને આપ્યો છે, અને એમ કરી પિતાની અતિ ઉચ્ચ કોટિની પરમ ઉદારતા નૈતિક ને આધ્યાત્મિક મહત્તાની ઝાંખી કરાવી છે. એ સુજ્ઞ વાંચક સ્વયં સમજી શકે એમ છે. તેમાં પણ ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે–બીજાઓ જ્યારે અન્ય દેશનીઓના નામથી પણ સૂગાય છે વા અચકાય છે, વા ભડકે છે, ત્યારે આ પરમ ઉદાર મહાનુભાવ આચાર્યવરે બેધડક અન્ય દર્શનીય શાઓને પણ નામોલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યો છે. અને આવા પરમ ભેગમાર્ગના યથાર્થ જ્ઞાતા આમ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી; કારણ કે ગમાર્ગમાં સર્વ દશનેની એક્તા છે, લેગ માર્ગ સર્વ દશનેને સંમત ને પરમ ઈષ્ટ છે. ભલે સંસારના માર્ગ અનેક હોય પણ મોક્ષને માર્ગ–ગમાર્ગ તે એક જ છે, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે યોજન-ગ કરે તે જ એક તેને ઉદ્દિષ્ટ લક્ષ્ય છે. એટલે આવા મેક્ષસાધક
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy