SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ સુતતત્વમીમાંસા : કાં તો સદા સ્થિતિ, કહે સદા અસ્થિતિ | (૫૩). ઉપરના લેકમાં કહ્યું કે–સદા નાશ માનવામાં આવ્યું વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિ રહે, એટલે ક્ષણિકવાદી કહે છે કે-તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળો છે. તેને જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે–(૧) બીજી વગેરે ક્ષણે પણ આ કાં તે સદા તમે જે ક્ષણસ્થિતિધર્મપણું કહો છો તે ઘટે છે, એટલે બીજી વગેરે સ્થિતિ કા તે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળે ધર્મ આવીને ઉભો રહેશે. એમ અનંત સદા અસ્થિતિ ક્ષણ પર્યત ચાલ્યા જ કરશે, તે પછી ક્ષણસ્થિતિ ધર્મ વિનાની ખાલી કઈ ક્ષણ હશે? એ બતાવે. અર્થાત અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું ક્યાં રહેશે? (૨) અથવા એમ જે કહો કે નાશ ક્ષણસ્થિતિધર્મવાળે-ક્ષણભર રહેનાર છે, તે પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષણસ્થિતિવાળો નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષસ્થિતિ ધર્મવાળા નાશ વિનાની ખાલી–અવકાશરૂપ એવી કઈ ક્ષણ હશે? તે કહે. એવી એક પણ ક્ષણ નહિ હોય કે જ્યારે નાશ નહિં વર્તતે હોય, અથાત્ સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તે સદા સ્થિતિ-સપણું જ પ્રાપ્ત થશે, અને કાં તે સદા અસ્થિતિ-અસત્પણું જ પ્રાપ્ત થશે, એટલે કઈ પણ રીતે તમારે ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિં. અને આમ ઉપરમાં જે કહ્યું હતું તે બધુંય બરાબર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે. કેવા પ્રકારે? તે કહે છે – क्षणस्थितौ तदैवास्य नास्थितियुक्त्यसंगतेः । न पश्चादपि सेत्येवं सतेोऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિ યુક્ત; ન પછી પણ અસ્થિતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત, અથ –ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,-યુક્તિની અસંગતિને લીધે, અને પછી પણ તે અસ્થિતિ નથી –એવા પ્રકારે સનું અસત્વ વ્યવસ્થિત છે. વિવેચન ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ અસ્થિતિ નહિ જૂત્તિઃ-ક્ષળસ્થિતૌક્ષણસ્થિતિ સત, તદૈવત્યારે જ, વિવક્ષિત ક્ષણે, ચ-ગાની, વિવક્ષિત ભાવની જ, નાસ્થિતિ -અસ્થિતિ નથી. શા કારણથી? તે કે-યુવચરંજતે-યુક્તિની અસંગતિને લીધે, સારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે જ પાપ-પછી પણ–દિતીય ક્ષણે પણ નહિ, તે અસ્થિતિ નથી, યુક્તિ અસંગતિ થકી જ. ‘સારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરોધ થકી.” -એવા પ્રકારે મુકિત છે. સૂત્રેઉં એવા પ્રકારે, કરોડર્વ-સતનું અસત્ય વ્યવસ્થિત છે. અને તેથી કરીને સતના અસવમાં તેના ઉત્પાદ ઈત્યાદિ અનુવ જ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy