SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતત્ત્વમીમાંસા: ક્ષણિકવાદમાં અસત ઉત્પાદ આદિ દેષ (૬૫૧) સતનું ૫સતપણું સતે-ઉત્પત્તિ તસ હોય; તેથી તેહ અસવનો, અહિં નાશ પણ જોય; ને તેથી કરી નષ્ટને, ઉપજે પુનર્ભાવ; અથવા નાશ સદા કલ્લે, સ્થિતિ ન તેની સાવ, ૧૫ અર્થ -સતનું અસત્વ-અસતુપણું માનવામાં આવ્યું તે અસત્ત્વને-અસતપણને ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્વને નાશ પણ થશે; તેટલા માટે નષ્ટ અસત્વને પુનર્ભવ થશે, અને સદા નાશ માળે તેની સ્થિતિ જ નહિ હેય. વિવેચન સ પર્વ મવતિ:–“તે જ નથી હોતે” એ વચન ઉપરથી સતનું–ભાવનું અસત્વ-અભાવ માનવામાં આવ્યું, કવચિત્ હોવાપણને લીધે અસત્વને ઉત્પાદ થશે, અને તે ઉત્પાદને લીધે તે અસત્તને નાશ પણ થશે કારણ કે “જે ઉત્પત્તિવાળું અસત્ ઉત્પાદ હેય તે અનિત્ય હેય” એવો નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા આદિ દોષ અસત્વને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત્ બીજી કોઈ રીતે ઘટમાળપણું નથી. હવે નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વપશ્ચાતુ-આગળપાછળ અવસ્થિત જ છે, એમ કેઈ કહે તો એ આશંકીને કહે છે–સદા નાશ જે માનવામાં આવે તે તેની સ્થિતિ જ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે. તે જ નથી હોત” એ વચનના આધારે જ સતનું અસપણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસતની ઉત્પત્તિ થશે, અભાવનો ઉદ્દભવ થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કતો સદા સત્ : ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે! કાંતે સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશુગ, અથવા વંધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષબાધિત છે, અનેક પ્રકારે દોષયુક્ત છે. (૧) તથાપિ ધાર કે અસત ઉત્પાદ થશે, તે તે અસતને નાશ પણ સાથે આવીને ઉભું રહેશે. કારણ કે જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ એવો નિયમ છે. તેથી અસત્વને વિનાશ થશે, તે અસત્વ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસવને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વને વિનાશ “વહુત્તિમત્તનત્ય' જે ઉત્પત્તિવાળું હોય તે અનિત્ય હેય, એટલા માટે. ચંદુજે કારણથી, જેથી કરીને. એમ તન-તેથી કરીને, નB%-નષ્ટને, અસત્ત્વ, પુનર્માવ:-તે જ રૂપે પુનર્ભવ થશે,–તે અસવના વિનાશની અન્યથા અનુપત્તિને લીધે (તે અસત્ત્વનો વિનાશ બીજી કોઈ રીતે નહિં ઘટે માટે). હવે “નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વ-પશ્ચાત અવસ્થિત જ છે” એ આશંકાને કહે છે–સા -સદા નાશ માનવામાં આવ્ય, શું? તે કે-તતિથતિઃ-તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy