SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : ભેગથી ઈરછાનિવૃત્તિ ન થાય (૫૦૭) ભેગથકી ઇચ્છા-વિરતિ તે, તસ સંસ્કાર કરે૫;. અંધભાર ઉતારવા, સકંધાતર આરોપ, ૧૬૧. અર્થ :–ભેગથકી તેની ઈચ્છાવિરતિ તે ખાંધ પર ભાર દૂર કરવા માટે બીજી ખાંધ પર લાદવા બરાબર છે,–તેને સંસ્કાર વિધાનને લીધે. વિવેચન ત્યારે કઈ કહેશે કે-વિષયભેગથી તેની ઇચછાની નિવૃત્તિ થશે, ભેગ ભેગવ્યાથી એના પ્રત્યે કંટાળો–વૈરાગ્ય આવશે, તે તે માનવું પણ ખોટું છે. કારણ કે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી, તે તો એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાંધે ભોગથી ભાર આપવા બરાબર છે, કારણ કે તેના સંસ્કાર તે ચાલુ જ છે. ઈચ્છાનિવૃત્તિ જેમ કઈ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે ન થાય બીજી ખાંધે ભાર આપે છે, પણ ભાર મૂકી દેતે નથી; તેમ ભગવાંચ્છક એક વિષયથી થાકે-કંટાળે એટલે તેની ઈચ્છાથી વિરામ પામી બીજો વિષય પકડે છે, પણ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતે નથી, માટે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી શક્ય નથી. કારણ કે ભેગસંસ્કાર છૂટયો નથી-વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભોગ થકી જે ઈચ્છાવિરતિ થવી તે તે તત્વથી ઈચ્છા અનિવૃત્તિરૂપ જ છે, કારણ કે વાસનાને અનુબંધ ચાલુ જ છે !* આમ જાણી આ સમ્યગદષ્ટિ પુરુષ ભોગેચ્છાથી દૂર રહે છે; વિષયવાંચછા ત્યજે છે, વિષયવાસનાનો ત્યાગ કરે છે અને કદાચિત્ પૂર્વકર્મવેગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે - પ્રાપ્ત ભાગસંપત્તિને ઉપભોગ કરે છે, તે પણ અનાસક્તભાવે-અનાત્મપુદ્ગલ જાલ ભાવે જલકમલવત્ નિલેપ રહીને જ કરે છે, એટલે તે તેમાં બંધાતે તમાસી રે” નથી અને કર્મ ભોગવીને છૂટી જાય છે. આ સમ્યગદષ્ટિ પુરુષની (૪) શુભ ગંધ, (૫) અલ્પ મૂત્ર-પુરીષ –આ ગપ્રત્તિનું પ્રથમ ચિહ્ન છે. (૬) મૈત્રી આથિી યુક્ત ચિત્ત, (૭) વિષમાં અચેત એવું ચિત્ત, (૮) પ્રભાવવંત ચિત્ત, (૯) અને હૈયથી યુક્ત એવું ચિત્ત. (૧૦) ધંધોથી અધૃષ્યત્વ - ઈષ્ટ અનિષ્ટ, લાભ-અલાભ આદિ ઠંધોથી નહિ ગભરાવાપણું. (૧૧) અને જનપ્રિયપણું-આ બીજું ચિહ્ન છે. (૧૨) દોષને અપાય-દૂર થવું તે, (૧૩) અને પરમ તૃપ્તિ, (૧૪) ઔચિત્ય યોગ, ( ૧૫ ) અને ભારી સમતા, ( ૧૬ ) વૈરાદિને નાશ, ( ૧૭ ) અને ઋતંભરા બુદ્ધિ,-આ નિષ્પન્ન વેગનું ચિહ્ન છે. અહીં પણ આ અકૃત્રિમ ગુણસમૂહ અહીંથી જ (આ દષ્ટિથી જ) આરંભીને જોડવો. x "सिद्धथा विषयसौख्यस्य वैराग्यं वर्णयति ये । मतं न युज्यते तेषां यावदर्थप्रसिद्धितः। अप्रासत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः। कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्धते ॥" અધ્યાત્મસાર,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy