SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૨) ગદષ્ટિસમુચ્ચય કર્મ આદિ તરની-બીજી વસ્તુની અંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સકલ જ આત્માથી બાહ્ય વસ્તુ સ્વભાવનિયત કહી છે, પોતાના સ્વભાવથી નિયત-નિશ્ચયથી મર્યાદિત કહી છે, તે પછી મહ પામી તે સ્વભાવ ફેરવવા માટે આકુલ થઈ શાને કવેશ પામવામાં આવે છે? કારણ કે અહી કઈ વસ્તુ અન્ય વસ્તુની નથી, તેથી વસ્તુ તે વસ્તુ જ છે, આ નિશ્ચય છે હાર લેટતાં છતાં અન્ય અન્યનું શું કરે છે? અને સ્વયં પરિણમી એવી અન્ય વસ્તુનું અન્ય વસ્તુ કંઈ પણ કરે છે, તે તે વ્યવહાર દૃષ્ટિથી માન્યું છે, નિશ્ચયથી તે અહીં બીજું કંઈ પણ નથી.’ આમ કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તો પછી આત્માને અને જ્ઞાનાવરણીયાદિ કમને, શરીરાદિને તથા રાગદ્વેષાદિ ભાવકને પરસ્પર શો સંબંધ છે? તે પ્રસંગથી અત્ર સમજવા માટે સંક્ષેપ વિચાર કર્તવ્ય છે. અત્રે શિલ્પીનું*-કારીગરનું દષ્ટાંત ઘટે છે – જેમ કેઈ ની વગેરે કારીગર કુંડલાદિ પદ્રવ્ય પરિણામરૂપ કર્મ કરે છે, હથેડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણ વડે કરે છે, હડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણે ગ્રહે છે, અને કુંડલાદિ નિમિત્ત નિમિ. કર્મના ફળરૂપે પરદ્રવ્ય પરિણામરૂપ પ્રામાદિ ભોગવે છે, પણ અનેક ત્તિક વ્યવહાર દ્રવ્યપણાને લીધે તેનાથી અન્યપણું-જૂહાપણું હોઈ તન્મય થતો નથી. તેથી નિમિત્ત–નિમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કોં–કર્મવનો ને ભેકર્તાભેગ્યત્વને વ્યવહાર છે. તેમ આત્મા પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરો વડે કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરણે ગ્રહે છે, અને પુણ્ય પાપાદિ કર્મફલરૂપ પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક સુખ દુઃખાદિ ભેગવે છે, પણ અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું-ભિન્નપણું હોઈ તન્મય થતું નથી. તેથી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કર્ણ-કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વને વ્યવહાર છે. અને જેમ તે જ કારીગર કામ કરવાને ઇચ્છતે સત, ચેષ્ટાને અનુરૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, અને ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણુએ કરીને તેનાથી અનન્યપણુંપરિણામ-પરિ અભિન્નપણું હોઈ તન્મય થાય છે, તેથી પરિણામ-પરિણામી ભાવથી ભુમી નિશ્ચય તેમાં જ તું-કમવન ને ભકતૃ-ભેગ્યત્વને નિશ્ચય છે. તેમ આત્મા પણ કરવા ઈચ્છો તે, ચેષ્ટારૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, *"जह सिप्पिओ उ कम्मं कुम्वइ ण य सो उ तम्मओ होइ । तह जीवोवि य कम्मं कुव्वदि ण य तम्मओ होइ ।" (આધાર માટે જુઓ)-શ્રી સમયસાર ગા. ૩૪૯-૩૫૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy