SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૪) ગદષ્ટિસમુચ્ચય છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સંપૂક્ત-સંયુક્ત હોય છે. જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની સાથે અવિદ્યા અવશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિકલ્પને આદિને ઉદય હોય જ છે. અને તે અવિદ્યાસંગત વિકલ્પોને જક કુતર્ક પેજક–જનાર–ગોઠવનારો આ કુતર્ક છે. આ છાણ છે તે દૂધ કેમ નહિં? આ દૂધ છે તે છાણ કેમ નહિ? ઈત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પને ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ૪ શિલ્પી-કડીઓ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની યોજના કરે છે, ગોઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ! તેનું શિલ્પ–ઘડતર પણ ક૫નારૂપ, બધુંય હવામાં! હવાઈ કિલ્લા જેવું ! Castles in the air! ને તે હવાઈ કિલાની શિલાને સલાડનારો પાછે કુતક ! એટલે પછી બધુંય ચણતર ખોટામાં ખોટું કલ્પિત ને હવાઈ જ હોય ને! અને તે બાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે બીજું કાંઈ? મૂરખ જીવ ધરે ચિત્તમેં કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાવહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેજ પરાઈ.” શ્રી દેવચંદ્રજીકૃત દ્રવ્યપ્રકાશ તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગોઠવનારા કુતર્કનું શું કામ છે? શું પ્રયોજન છે ? કંઈ જ નહિં. વિકલપનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારે કુતક છે, તે પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખોટા કુતર્કને કર્યો વિબુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારને અંત ઈચ્છનારે મુમુક્ષુ વિકલ્પને આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચોડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાવિકશેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉચ્ચાર્યા છે કે ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અલક્તાં, વિલય થતાં નહિં વાર.” તેમજ— जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९१॥ તત્તિપાતિકારશ્ચ-અને જાતિપ્રાય, દૂષણુભાસપ્રધાન, સડયં-આ સર્વે કુતર્ક, કતીતિજાધિરઃ-પ્રતીતિ-ફલથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે સુરતી થાપત્યુૌ – હાથી મારી નાંખશે એવું વચન મહાવતે કહ્યું,-કોની જેમ ? તે માટે કહ્યું –ગાતાકાત વિઠપવત-માતઅપ્રાપ્તના વિકલ્પની જેમ. * ““વિકરાવદરાના શિલ્પ બાયોગવિદ્યાવિનિમિતy I તોનનામયશ્ચત્ર કુતઃ વિક્રમનેન તન્ –દ્વા. દ્વા,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy