SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિઃ ૫૫ધૂલિથી પિતાના હાથે આત્માને ફાંસે ! (૩૧૩) અત્રે ભેગસાધનને ઈચ્છાપરિક્ષય નથી એમ કહ્યું, તે ઉપરથી ભેગક્રિયાને પરિક્ષય પણ નથી થતો એમ ઉપલક્ષણથી સમજવાનું છે, કારણ કે ભેગકિયા પણ ભેગઈચ્છા વિના ઉપજતી નથી, એટલે ગઈચ્છાને પરિક્ષય-નાશ ન હોય તે ભેગકિયાને પણ પરિક્ષય નથી થતું. ઈચ્છા-વાસના ટળે નહિં ત્યાં સુધી ભેગપ્રવૃત્તિ પણ ટળે નહિં. જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને કારણ એમ છે તેથી– आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् । पापधूल्या जडाः कार्यमविचायैव तत्त्वतः ॥८२॥ કચેષ્ટાથી જડ એ સદા, નાખે છવને પાશ; પાપ ધૂળથી-તાવથી, વિના કાર્ય વિમાસ. ૮૨, અર્થ –આ જડ છે, તત્વથી કાર્ય વિચાર્યા વિના જ, અત્યંતપણે અસત્ ચેષ્ટાથી આત્માને પાપધૂલિવડે સદા પાશ નાંખે છે. વિવેચન ઉપરમાં કહ્યું તેમ સ્થિતિ હોવાથી, આ ભવાભિનંદી જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાં– ખોટા માની લીધેલા કલ્પિત સુખમાં આસક્ત હોઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે પિતાના હાથે છે, આરંભ આદિ કરે છે, અને તે તે પાપસ્થાનકોના સેવનથી તે ફાંસો ! જ્ઞાનાવરણાદિ પાપકર્મ રૂપ ધૂલિ–રજ આત્મામાં નાંખી પિતાના આત્માને મલિન કરે છે ! તે પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે, પિતે પિતાને બાંધે છે, પિતે પિતાને વેરી થઈ આત્મઘાતી બને છે! અને આમ જે પિતાના હાથે ગળે ફાંસે નાંખે છે, આત્મામાં ધૂળ નાંખે છે, તે મૂર્ખ, જડ, મંદબુદ્ધિ કહેવા ગ્ય છે. કારણ કે કોઈ માણસ પોતાના હાથે માથામાં ધૂળ નાંખતે હેય, તે આપણે તેને મૂર્ખ દિવાને માનીએ છીએ, ગાંડાની ઇસ્પીતાલને લાયક ગડે પાગલ વૃત્તિઃ– ગાભનં-આત્માને, જીવને, પારાતિ–પાશ બાંધે છે, જકડી રચે છે, ગંઠી લે છે, તે આ અધિકૃત–પ્રસ્તુત પ્રાણીઓ, સા સદા-સર્વકાલ અષ્ટયા-અસત ચેષ્ટાથી, પ્રાણુતિપાત–આરંભરૂપ એવી. હેતુભૂત અસત્ ચેષ્ટાવડે કરીને, સૂરાપુ-અત્યંત. કેનાવડે પાશ બાંધે છે ? તે માટે કહ્યું કે–પાપૂજા-પાપધૂલિવડે, જ્ઞાનાવરણ આદિ લક્ષણરૂપ પાપધૂલિવડે, – જડે, મંદ, વિવાવ-કાર્ય વિચાર્યા વિના જ, તરસતા-તાવથી, પરમાર્થથી, ક્ષણિક કસુખમાં સમાપણાથી તેઓ આત્માને પાશ નાંખે છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy