SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૮) યોગશ્તિસમુચ્ચય અ:—આ દૃષ્ટિને વિષે, શુભ યાગના સમારભમાં કદી પણ ક્ષેપ હાતા નથી; અને તેના વિષયનુ ઉપાય—કૌશલ પણ સુદર હોય છે. વિવેચન અહીં અક્ષેપ ગુણનું સ્પષ્ટીકરણ કર્યું છે. આગલી દૃષ્ટિમાં ઉદ્વેગ દોષના ત્યાગ કર્યાં, એટલે તે પછી અનુક્રમે ક્ષેપ દોષ પણ જાય છે. એથી કરીને આ દૃષ્ટિમાં વા યેગી પુરુષ જ્યારે ધ્યાન વગેરે શુભ યાગના સમારંભ કરે છે, ત્યારે તેમાં કદી કોઈ પણ વિક્ષેપ આવી પડતા નથી, કેાઈ પણ આડખીલી કે અ'તરાય નડતા નથી, અહી' તહી' માંવાં નાંખી ચિત્ત ડામાડોળ થતું નથી, સંક્ષુબ્ધ થતુ' નથી. એટલે તે ધ્યાન કરતા હાય, તે એકાગ્ર ચિત્ત શુદ્ધ ભાવે કરે છે, પરીષહ-ઉપસ`થી ક્ષેાભ પામતા નથી; પ્રભુભક્તિ કરતા હાય તે। શુદ્ધ પ્રણિધાનથી તન્મયભાવે કરે છે,- અહીંતહીં ચિત્તવિક્ષેપથી ડામાડોળ થતા નથી; સામાયિકસ્વાધ્યાય કરતા હાય તેા સમતાભાવે અત્યંત સ્વસ્થતાથી કરે છે,-તેમાં આકાશ પાતાલના ઘાટ ઘડતા નથી; પ્રતિક્રમણ આદિ સતક્રિયા કરતા હોય, તે ઉપયાગપૂર્ણાંક નિજ દોષદનના સાચા પશ્ચાત્તાપ ભાવથી કરે છે,-પણ મનને બીજે ભમવા દેતા નથી; બીજો કાઈ પણ મેાક્ષસાધક યોગ સાધતા હાય, કે બીજું કેાઈ પણ શુદ્ધ તપશ્ચર્યાદિક ધર્માંકૃત્ય કરતા હાય, તેા આત્મજાગૃતિપૂર્ણાંક નિલ ભાવે કરે છે, પણ આ લાક-પરલેાકની ફુલાકાંક્ષાથી વિક્ષેપ પામતે નથી. તેમજ તે તે ધ્યાન આદિ શુભ ચાગ સંબંધી ઉપાયમાં પણ આ મુમુક્ષુ પુરુષ કૌશલકુશલતા ધરાવે છે, કલાકારના જેવી નિપુણતા દાખવે છે. તે તે ચેાગ કેમ ઉત્તમ રીતે સાધી શકાય, તેનું તેને નિપુણુ જ્ઞાન હૈાય છે. અને આમ ઉપાયપટુ હેવાથી ઉપાય કૌશલ તે તે ચેાગને તે સુંદર રીતે સાધી શકે છે. કારણ કે જે શસ્રવ્યાપારમાં નિષ્ણાત હાય, તે અટાપટાના ખેલ ખેલવામાં પટુ હોય; તેમ જેને તે ધ્યાન આદિની વિધિનું ખરાખર જાણપણું હોય, તે તે ધ્યાનાદિની સાધનામાં કુશલ હોય છે. વ્યાયામમાં જે સારી પેઠે કસાયેલા હાય, તે જેમ કુસ્તી વગેરે પ્રયાગેામાં હાશીયાર હાય છે; તેમ તે તે ધ્યાનાદિના ઉપાય જે ખરાખર જાણતા હાય, તે ધ્યાનાદિ સિદ્ધ કરવામાં નિપુણ હાય છે. દાખલા તરીકે–ધ્યાન કરવું હેાય તે તેને ચેાગ્ય દેશ આદિ જાણવા જોઇએ, આસનાઢિ વિધિ જાણવી જોઇએ. તે જાણેલ હાય, તે જ તેના ઉપાયમાં ખરાખર પ્રવર્તી શકાય. કુશલ કારીગર પેાતાની કામગીરી ખરાખર ખજાવી શકે છે, પણ અણઘડ તેમ કરી શકતા નથી; તેમ ઉપાયપટુ પુરુષ ધ્યાનાદિ કુશલપણે કરી શકે છે, અપટુ તેમ કરી શકતે નથી. ગીતામાં કહ્યુ છે કે‘ ચો: મનુ કૌશામ્। ’ “ હવે જિનવચન પ્રસંગથી, જાણી સાધક નીતિ....નાથ રે; સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ....નાથ રે.’’શ્રી દેવચ`દ્રજી 節 ાગમાં અવિક્ષેપ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy