SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ : શાસ્ત્ર ઘણા, મતિ થાડલી” (૨૦૩) વિરોધાભાસી તેમની ચિત્ર પ્રવૃત્તિ જણાય છે! એમ પરમ આશ્ચર્યકારક એવી પુરુષોની સમસ્ત ચિત્ર-વિચિત્ર આત્મચેષ્ટા, ચૈતન્ય ચમત્કારે મહારાથી કેમ જાણી શકાય વારુ? કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે....શીતલ સર્વ જંતુ હિતકરણ કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે; હાનાદાન રહિત પરિણમી, ઉદાસીનતા વીક્ષણ રે...શીતલ૦ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે....શીતલ ઈત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી રે અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે...શીતલ” શ્રી આનંદઘનજી તાહરી શૂરતા ધીરતા તીક્ષણતા, દેખી સેવક તણે ચિત્ત રાચ્યો; રાગ સુપ્રશસ્તથી ગુણી આશ્ચર્યતા, ગુણી અભુતપણે જીવ મા.”—શ્રી દેવચંદ્રજી કારણ કે नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । શિgr: પ્રમામિ તત્ય જાતે સવા ૪૮ || નથી અમારી મતિ મહા શાસ્ત્રવિસ્તાર મહાન; શિષ્ટો અહીં પ્રમાણ એ, માને નિત આ સ્થાન, ૪૮ અર્થ—અમારામાં મોટી બુદ્ધિ નથી, અને શાસ્ત્રવિસ્તાર તે ઘણો મટે છે; તેથી અહી'આ તે શિષ્ટ જ પ્રમાણ છે,–એમ આ દષ્ટિમાં સદા માને છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે “આ સાધુજનની ચિત્ર પ્રવૃત્તિ બધીય ન જાણી શકાય,” તેનું અહી કારણ બતાવ્યું છે. આ દષ્ટિવાળે યેગી ભાવે છે કે-મહારામાં તે તેવી મોટી બુદ્ધિ નથી કે કદી વિસંવાદ ન પામે–ટી ન પડે. અને પિતાની બુદ્ધિએકયાં હારી સ્વછંદ મતિકલ્પનાએ કપેલા વિષયમાં તે વિસંવાદ આવ્યા વિના મંદ મતિ? રહેતું નથી. આમ મહારી મતિ તે અતિ પામર છે–અલ્પવિષયા છે, અને શાસ્ત્રનો વિસ્તાર તે ઘણો ઘણું મટે છે. શ્રુતસાગરને પાર વૃત્તિ-નામ મતી પ્રજ્ઞા–અમારી પ્રજ્ઞા-બુદ્ધિ મટી નથી, સંવાદિની નથી; કારણ કે પ્રજ્ઞાથી વિહિપતમાં વિસંવાદનું દર્શન થાય છે, તેટલા માટે. તથા–સુમહાન રાત્રવિરતા:-શાસ્ત્રવિસ્તાર અત્યંત મહાન–મોટે છે -તે તે પ્રવૃત્તિના હેતુપણુએ કરીને. આમ-શિષ્ટ-સાધુજનેને સંમત એવા શિષ્ય પુરુષ, પ્રમાણમ-આ વ્યતિકરમાં–પ્રસંગમાં પ્રમાણભૂત છે. રિતિ-તેટલા માટે આમ, કાચાં મચત્તે સા–આ દૃષ્ટિમાં સદા માને છે. જે તેઓએ આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્યથી કરવું યુક્ત છે, એમ અર્થ છે,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy