SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) યોગદષ્ઠિસમુચય બીજ હોય તેમાંથી શાલિને અંકુર ફૂટયા વિના રહે નહિ. તેમ ગબીજ ન હોય તેમાંથી રોગને અંકુર ફૂટે નહિ; અને ગબીજ હોય તેમાંથી એગ-અકુર ફૂટયા વિના રહે નહિ. ભક્તિપ્રધાન દશાએ વત્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એ પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે, તે તે ઘણા દેષથી નિવૃત્ત કરવાને ગ્ય એવી હોય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી આત્મજ્ઞાનવડે જે પૂર્ણ ભરાયેલે છે, અને જેને કમફળને સર્વથા કંટાળો આવી ગયેલે છે, તેને આ જગમાં ઘેર બેઠાં જ શાંતિ આવીને વરે છે, પરંતુ હે અર્જુન ! બીજે જે સંસારી હોય છે, તે કર્મબંધનવડે બંધાઈને અભિલાષાની ગાંઠથી ફળભેગના ખીલા સાથે જકડાઈ જાય છે. + x x તેઓ સ્વર્ગની ઈચ્છા મનમાં રાખે છે, યજ્ઞભક્તા જે ઈશ્વર તેને વિસરી જાય છે. જેમ કપૂરને ઢગલે કરી તેમાં અગ્નિ લાવી મૂક, અથવા મિષ્ટાનમાં કાળકૂટને સંચાર કરે, અથવા દૈવયોગે અમૃતકુંભ મળે અને તેને લાત મારી ઊધે વાળી નાંખ, તેમ ફળપ્રાપ્તિના હેતુથી પ્રાપ્ત થયેલી ધમને લેકે હાથે કરીને નષ્ટ કરી નાંખે છે.”—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા. આમ આ સંશુદ્ધ ભક્તિમાં-(૧) પરમાત્મા પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાઅનુદય, (૩) અને નિષ્કામપણું હોય છે અને આવું સંશુદ્ધ કુશલ ચિત્ત આદિ અહીં છેલ્લા પુલાવર્તામાં, ગ્રંથિભેદ હજુ નહિં થયા છતાં, હોય છે, કારણ સંશુદ્ધ ભક્તિ કે છેલ્લા યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી–પ્રભાવથી અહીં તેવા પ્રકારનો ક્ષપશમ હોય છે. જેમ સરાગ એવા અપ્રમત્ત સંયમીને વીતરાગભાવ ઘટે છે, તેમ અહીં ગ્રંથિભેદ વિના પણ સંશુદ્ધભાવ ઘટે છે, યોગબીજવાળું કુશલ ચિત્તાદિ - ઘટે છે, અને તેથી કરીને જ આ મિત્રા દૃષ્ટિમાં વત્તત ગીપુરુષ અનન્યભાવે, અતિશય ભક્તિ સહિત, શ્રી જિનેશ્વર ભગવાનની નિષ્કામ ઉપાસના કરે છે. ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.” –શ્રીમદ્ રાજચંદ્રજી ગબીજ ચિત્ત ગબીજવાળું જે ચિત્ત છે તે કેવું છે? તે અંગે ચોગાચાર્યોએ કહ્યું છે કે – (૧) તે સંસાર સમુદ્રમાં નિમગ્નને-ડૂબેલાને જરા ઉન્મજજન વિલાસ છે, જરા ઉપર સપાટીએ આવવારૂપ પ્રયાસ છે અને તે આ ઉન્મજજન સંસારની + “યુઃ કરું ચવા શરિમાનેતિ નૈછિક્કી થયુ માન છે તો નિવષ્ય "– ગીતા, અ. પ.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy