SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ છ પ્રકારના સમ્યકત્વના આગાર/અભિયોગ મરજી વિરૂદ્ધ, ઈચ્છા ન હોવા છતાં જે કાર્ય કરવું પડે તે “અભિયોગ' કહેવાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલા ઉત્તમ પુરુષો ધર્મથી કદી ચલિત થતા નથી તો પણ જે કાર્ય કરવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે તે જ કાર્ય રાજાદિના આગ્રહના કારણથી અથવા બીજા કોઈ એવા કારણસર ઇચ્છા ન હોવા છતાં કરવું પડે છે તેવા અભિયોગના પ્રસંગને ‘અપવાદ' અથવા “આગાર' ગણવામાં આવે છે જેનાથી સ્વધર્મનો, વતનો ભંગ થતો નથી. આવા અભિયોગના છ પ્રકાર બતાવેલા છે – ૧) રાજાભિયોગ ૨) ગણાભિયોગ ૩) બલાભિયોગ ૪) દેવાભિયોગ ૫) ગુરુઅભિયોગ ૬) વૃત્તિદુર્લભ ૧) રાજાભિયોગ- રાજાની આજ્ઞાથી, રાજાના દબાણથી મિથ્યાદષ્ટિ દેવ, ગુરુને નમન, વંદન કરવું પડે તો તે “રાજાભિયોગ' કહેવાય છે. ૨) ગણાભિયોગ - ગણ એટલે સ્વજન લોકોનો સમુદાય જનસમૂહના દબાણના કારણે અથવા તે સમુદાયના રક્ષણ કે બચાવ માટે પોતાની ઇચ્છા ન હોવા છતાં કરાતું અનુચિત આચરણ એ “ગણાભિયોગ' કહેવાય છે. ૩) બલાભિયોગ-ચોર, લુંટારા, લશ્કર, બળવાન શત્રુ જેવા બળવાન પુરુષોની પરવશતાથી અન્ય દેવ, ગુરુ, ધર્માદિને નમસ્કાર કરવા પડે તે બલાભિયોગ' કહેવાય છે. ૪) દેવાભિયોગ - કુળદેવ, ક્ષેત્રપાલ અથવા કોપાયમાન થયેલ અન્ય કોઈ દેવદેવી આદિને પરવશતાથી નમન, વંદન કરવા પડે તે દેવાભિયોગ' કહેવાય છે. ૫) ગુરુઅભિયોગ-માતા, પિતાદિ પૂજ્ય વર્ગ તેનો કોઈ વધ, બંધાદિ કરતું હોય તેવા પ્રસંગે જે કાર્યનો નિષેધ કરેલો હોય તે કરીને પણ ગુરુવર્ગનો બચાવ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૧૫
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy