SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિ તે ચારિત્ર - આ પ્રમાણે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અને જે આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે એકાગ્ર થયો છે, અન્ય કાંઈ પણ કરતો નથી કે છોડતો નથી તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે. આગળ કહે जो चरदिणादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं । सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि ।।१६२।। પંચાસ્તિકાય અર્થ : જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે, તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. અર્થાત્ જે આત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે – એમ નિશ્ચિત છે. આ જ મોક્ષમાર્ગ હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ સેવવા યોગ્ય છે. આવી રીતે આચાર્ય કુંદકુંદદેવ ‘સમયસાર’ અને ‘નિયમસાર’ બંનેમાં નિશ્ચયથી શુદ્ધ રત્નત્રયને અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષમાર્ગ કહ્યો છે. ૩૮ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy