SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યાનો સીધો સંબંધ મનુષ્યના ભાવો સાથે છે. વેશ્યાના છ પ્રકાર છે : કૃષ્ણ, નીલ, કપોત, તેજસ, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમ ત્રણ અશુભ છે અને અંતિમ ત્રણ શુભ છે. મનુષ્ય માત્રના વિચારો, ભાવ શુદ્ધ અને અશુદ્ધ પ્રકારના હોય છે. જે વિચારો રાગદ્વેષયુક્ત હોય છે તે અશુદ્ધ છે અને જેમાં રાગદ્વેષ ન હોય તે શુદ્ધ છે. આવી રીતે લેશ્યાના બે વર્ગ છે : અશુભ લેશ્યા અને શુભ લેશ્યા. અશુદ્ધ વેશ્યાથી કષાય તીવ્ર બને છે અને શુદ્ધ વેશ્યાથી કષાય મંદ પડે છે. આપણી વૃત્તિઓને ઉત્પન્ન કરનાર આ વેશ્યાઓ છે. કૃષ્ણ, નીલ અને કાપો આ અશુદ્ધ વેશ્યાઓ છે. ક્રૂરતા, હિંસા, કપટ, પ્રવચના, પ્રમાદ, આલસ્ય વગેરે જે દોષો છે તે આ ત્રણ વેશ્યાઓથી ઉત્પન્ન થાય છે. ક્રોધ, માન, માયા, લોભ જ્યારે પૂર્ણ કળાએ હોય ત્યારે કૃષ્ણ વેશ્યા, મધ્યમ હોય ત્યારે નીલ વેશ્યા અને મંદ હોય ત્યારે કાપોત વેશ્યા હોય છે. આ કષાયો જ્યારે સંયમિત હોય ત્યારે શુભ લેશ્યાઓ હોય છે જેમ કે મંદ હોય ત્યારે તેનો વેશ્યા, જ્યારે મંદતર હોય ત્યારે પદ્મ લેશ્યા અને મંદતમ હોય અને ભાવધારા ઉત્કૃષ્ટ હોય ત્યારે શુક્લ લેશ્યા હોય છે. આર્ત ધ્યાનમાં પ્રથમની ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત આ અશુભ લેશ્યાઓ હોય છે. રોદ્ર ધ્યાનમાં આ જ ત્રણ વેશ્યાઓ અત્યંત તીવ્ર માત્રામાં હોય છે. તે જ પ્રમાણે ધર્મધ્યાનમાં તેજસ, પદ્મ અને શુક્લ વેશ્યાઓ હોય છે. શુક્લધ્યાનમાં પ્રથમ બે તબક્કામાં શુક્લ વેશ્યા અને ત્રીજા તબક્કામાં પરમ શુક્લ લેશ્યા હોય છે. અને અંતિમ (ચોથા) તબક્કામાં લેશ્યાનું અસ્તિત્વ રહેતું નથી. લેશ્યાઓના પરિવર્તન દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનું પરિવર્તન થાય છે. વ્યક્તિત્વનું રૂપાંતરણ વેશ્યાની ચેતનાના સ્તર પર થઈ શકે છે. જ્યારે કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ વેશ્યાઓ બદલાઈ જાય છે અને તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણેય વેશ્યાઓ એમની જગ્યાએ આવે છે ત્યારે પરિવર્તન થાય છે. લેશ્યાધ્યાન દ્વારા આ ત્રણે વેશ્યાઓ પરિવર્તિત થાય છે. કૃષ્ણ વેશ્યા શુદ્ધ થતાં નીલ વેશ્યા, નીલ વેશ્યા કાપોત વેશ્યા અને કાપોત વેશ્યા તેજો વેશ્યા બની જાય છે. તેજો લેગ્યામાં આવતાં સાથે જ વ્યક્તિમાં પરિવર્તન થવા માંડે છે. પદ્મ લેશ્યામાં વિશેષ બદલાતું જાય છે. શુક્લ લેગ્યામાં પહોંચતાં જ વ્યક્તિત્વનું પૂર્ણ રૂપાંતર (Transformation) થઈ જાય છે. ભાવધારા (લેશ્યા)ના આધારે જ આભામંડળમાં પણ પરિવર્તન થાય છે. ૨૬૬ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy