________________
ક્ષમતાવાળો છે. પરંતુ શરીરના દરેક કોષને જાગ્રત કરવાનું અર્થાત્ તેના ઉપરનું કર્મરૂપી આવરણ હટાવવાનું પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય નથી એટલે આ વિશિષ્ટ કેંદ્રો જ્યાંથી ચૈતન્યનો પ્રકાશ સરળતાથી બહાર આવી શકે છે, એમને જાગ્રત કરવા માટે આ ચૈતન્ય કેંદ્ર-પ્રેક્ષા છે. જેટલાં આ કેંદ્રો જાગ્રત થાય છે એટલા પ્રમાણમાં અતીન્દ્રિય જ્ઞાન ઉપલબ્ધ થાય છે.
ચૈતન્ય કેંદ્રો આપણા સ્થૂળ શરીરમાં હોય છે. નાભિ, હૃદય, કંઠ, નાકનું ટેરવું, બે આંખની વચ્ચે ભૂકુટિ, તાળવું, મગજ આ બધાં સ્થૂળ શરીરનાં ચૈતન્ય કેંદ્રો છે. આવરણની વિશુદ્ધિ થતાં આ કેંદ્રો જાગ્રત બને છે, નિર્મળ બને છે અને અતીન્દ્રિયનું જ્ઞાન વ્યક્ત કરવાનું માધ્યમ બને છે.
કોઈ વ્યક્તિનાં ચેત કેંદ્રો જલદી જાગ્રત થઈ જાય છે જ્યારે કેટલિક વ્યક્તિઓને ચૈતન્ય કેંદ્રો જાગ્રત કરવા માટે ઘણો લાંબો સમય સાધના કરવી પડે છે. જે વ્યક્તિને પૂર્વજન્મમાં ધ્યાનના સંસ્કાર હોય અર્થાત્ ધ્યાનનો અભ્યાસ હોય અને જેનું આવરણ વિશુદ્ધ બન્યું હોય, વર્તમાન જન્મમાં થોડા અભ્યાસથી પણ તેનાં ચૈતન્ય કેંદ્રો જાગ્રત થઈ શકે છે. જ્યારે જે વ્યક્તિ વર્તમાન જન્મમાં જ ધ્યાનના અભ્યાસનો પ્રારંભ કરે છે અને જેનું આવરણ શુદ્ધ નથી થયું હતું તેને ચૈતન્ય કેંદ્રોને જાગ્રત કરવા માટે લાંબા સમય સુધી ધ્યાનનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
૬. લેશ્યા ધ્યાન :
ચેતનાની ભાવધારાને વેશ્યા કહેવામાં આવે છે. વેશ્યાના બે પ્રકાર છે : દ્રવ્ય લેશ્યા અને ભાવ વેશ્યા. ભાવ વેશ્યાનો સંબંધ આત્માનાં પરિણામો સાથે હોય છે. દ્રવ્ય લેશ્યા પોગલિક વેશ્યા છે. વેશ્યા મનુષ્યના “ઓરા' અર્થાત્ આભામંડળનું નિયામક તત્ત્વ છે. મનુષ્યમાં જેવી વેશ્યા હોય તેવું તેનું આભામંડળ હોય છે. આભામંડળની મલિનતા અને નિર્મલતા (ઉજ્જવલતા) ભાવલેશ્યા પર નિર્ભર છે. જેમ જેમ ભાવોની વિશુદ્ધિ વધે છે, આભામંડળ બદલે છે. જેને દર્શન પ્રમાણે વેશ્યાની વિશુદ્ધિ આભામંડળની વિશુદ્ધિ છે. આભામંડળને ઉજ્વળ બનાવવામાં ધ્યાન પ્રબળ નિમિત્ત બને છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૫