SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને એના પ્રતિ જાગરૂક રહેવાનું છે. શ્વાસની આવનજાવન પર મનને કેંદ્રિત કરવાનું હોય છે. શ્વાસને મંદ અને દીર્ઘ કરવાથી મન શાંત થાય છે. સાથે સાથે આવેશ અને કષાય પણ શાંત થાય છે. એનાથી ત્રણ ચીજોનો લાભ થાય છે – જાગરૂકતા, સાક્ષીભાવ અને શ્વાસની મંદતા. નિયમિત રૂપથી દીર્ઘકાલપર્યત શ્વાસ-પ્રેક્ષા કરવાથી માનસિક શારીરિક આધ્યાત્મિક ત્રણ પ્રકારના લાભ થાય છે. માનસિક એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને શારીરિક દૃષ્ટિથી બીમારી દૂર કરવામાં પણ મદદ મળે છે. એવી જ રીતે સાધકના કષાય-ક્રોધ, માન, માયા, લોભ આદિ પણ ક્ષીણ થાય છે. સાધકના આધ્યાત્મિક વિકાસ માટે દીર્ઘશ્વાસપ્રેક્ષા બહુ જ ઉપયોગી અને મહત્ત્વનું સોપાન છે. સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા : સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા પણ ખૂબ જ મહત્ત્વની છે. આમાં ડાબા નસકોરાથી શ્વાસ લઈને જમણા નસકોરાથી બહાર કાઢવાનો હોય છે. અને જમણા નસકોરાથી શ્વાસ લઈને ડાબા નસકોરાથી બહાર કાઢવાનો હોય છે. સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષાથી ચેતનાનાં વિશિષ્ટ કેન્દ્રોને જાગ્રત કરી શકાય છે. એના સતત અભ્યાસથી જ્ઞાનશક્તિ વિકાસ પામે છે અને ઇન્દ્રિયોથી પરનું જ્ઞાન મેળવી શકાય છે. ૪. શરીર-પ્રેક્ષા : શરીરપ્રેક્ષા અર્થાત્ શરીરને જોવું. બહારથી અંદર સુધી શરીરનું દર્શન કરવું. શરીર પ્રેક્ષાની પ્રક્રિયા અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. ધ્યાન એક પ્રક્રિયા છે - સ્થૂળથી સૂક્ષ્મમાં પ્રવેશ કરવાની. સ્થૂળનો અભ્યાસ કરતાં કરતાં ત્યાં એકાગ્રતા વધતી જઈ સૂક્ષ્મમાં પ્રવેશ કરાય છે. આના માટે શરીરપ્રેક્ષાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણા ચૈતન્યના પ્રવાહને બાહ્યગામી થતો અટકાવી અંતર્મુખ કરવાનું પ્રથમ સાધન સ્થળશરીર છે. આ સ્થૂળ શરીરની અંદર તેજસ અને કાર્મણ આ બે સૂક્ષ્મ શરીર છે. તેમની અંદર આત્મા છે. સ્થૂળ શરીરની ક્રિયાઓ અને સંવેદનાને જોવાનો અભ્યાસ કરનાર ધીરે ધીરે તેજસ અને કર્મ શરીરને જોવા લાગે છે. શરીરદર્શનનો દૃઢ અભ્યાસ અને સુશિક્ષિત મન શરીરમાં પ્રવાહિત થતી ચૈતન્યની ધારાઓનો સાક્ષાત્કાર કરે છે. આવી રીતે સાધક જેમ જેમ ધૂળથી સૂક્ષ્મ દર્શન તરફ પ્રગતિ કરે છે તેમ તેમ પ્રમાદ ઘટતો જાય છે. સ્થૂળ શરીરની વર્તમાન ક્ષણને જોનાર સાધક જાગ્રત બને છે. કોઈક ક્ષણ જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ ૨૬૩
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy