SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી રીતે વિચારીએ તો શ્રદ્ધા એ જીવનો ગુણ છે. એ શ્રદ્ધામાં મૂંઝવણ, મૂઢતા એ મોહનીયકર્મ છે. મોહનીયકર્મના બે પ્રકાર છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. મોહનીયકર્મનાં દર્શનવિભાગને દર્શન મોહનીય કહે છે. શ્રદ્ધાગુણમાંથી દર્શન વિષયની મૂંઝવણ ટળી જતાં સમ્યક દર્શન થાય છે. અને મોહનીય કર્મના ચારિત્ર મોહનીય વિભાગની મૂંઝવણ ટળી જતા સ્વરૂપસ્થિરતા એટલે કે આત્મરમણતા આવે છે તે સમ્યકુ ચારિત્ર છે. સમ્યગ્દર્શન થતા મતિઅજ્ઞાન મતિજ્ઞાન એટલે કે સમ્યજ્ઞાન બને છે. સમ્યગ્દર્શનથી દિશા બદલાય છે અને સમ્યક્ ચારિત્રથી દશા બદલાય છે. સમ્યગ્દર્શન થતાં અનંતાનુબંધી કષાય ટળે છે જ્યારે સમ્યક્રચારિત્રથી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંવલન કષાય ટળતાં પરમશાંતતા, ઉપશાંતતા, પ્રશાંતતા આવે છે. સમ્યગ્દર્શનથી મિથ્યાત્વ નામનો આસ્રવ ટળે છે. સમ્યક ચારિત્રથી અવિરતિ, કષાય જેવા આસ્રવ ટળે છે જેથી ચારિત્રમાં અપ્રમત્તતા આવે છે. આ મોક્ષના ઉપાયમાં, સાધનોમાં દર્શન સમ્યક થતાં જ્ઞાન સમ્યક થાય છે. સમ્યક દર્શન અને સમ્યજ્ઞાન આચરણને સમ્યક બનાવે છે જેને વિરતિ કહે છે. આ વિરતિમાં મન, વચન, કાયાની સ્થિરતારૂપ ગુપ્તિની જે સાધના છે તે ધ્યાન છે. મોક્ષના સાધનમાં પ્રથમ સમ્યજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. ધ્યાનઃ ધ્યાન એ યોગનું, મોક્ષમાર્ગનું અતિ મહત્ત્વનું અંગ છે. યોગ પર વિવેચન કરનારા આચાર્યોએ આચાર્ય હરિભદ્રસૂરિએ યોગશાસ્ત્રમાં, આચાર્ય હરિભદ્રસૂરિએ યોગબિંદુમાં, આચાર્ય શુભચંદ્રએ ‘જ્ઞાનાવમાં ધ્યાન પર વિસ્તારથી વિવેચન કરેલું છે. આચાર્ય શુભચંદ્ર “જ્ઞાનાર્ણવ'માં મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન કારણ બને છે એમ કહે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે કર્મબંધ ક્ષીણ થાય તો શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ મોક્ષ પ્રાપ્ત થાય. આચાર્ય શુભચંદ્ર આ જ વાત ધ્યાનથી સિદ્ધ થાય એ સમજાવતાં કહે છે – मोक्षः कर्मक्षयादेव स सम्यग्ज्ञानतः स्मृतः । ધ્યાન સાધ્યું મતં તદ્ધિ તસ્પત્તિદ્ધિતમત્મિનઃ સા૩.૧૩ ના જ્ઞાનાર્ણવ અર્થ : મોક્ષ કર્મોના ક્ષયથી થાય છે. કર્મોનો ક્ષય સમ્યગૂ જ્ઞાનથી થાય છે અને એ સમ્યગૂ જ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ ધ્યાનથી જ્ઞાનની એકાગ્રતા થાય છે એટલે ધ્યાન જ આત્માનું હિત છે. જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ ૨૫૧
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy