________________
અવસ્થામાં પ્રવર્તે છે. તેને આત્મામાં એકતાપૂર્વક વર્તાવવા. આત્મા દ્વારા, આત્મસ્વરૂપનું જ જ્ઞાન, તેની જ શ્રદ્ધા અને તેમાં જ સ્થિતિ એ રૂપ સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર થયા પછી તેમાં જ વૃદ્ધિ થતી જાય. જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ આત્મા કર્મને દૂર કરી શુદ્ધતા પામતો જાય. તે શ્રી જિનેશ્વર ભગવાને કહેલો મોક્ષમાર્ગ આત્મામાં જ રહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા એ જ મોક્ષમાર્ગ છે. ત્રણે કાળમાં તે માર્ગ એક સરખો છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ” (આત્મસિદ્ધિ) ૩૬ી અહીંજ્ઞાન, દર્શન અને ચારિત્રનો અર્થ સમજાવ્યો છે. દેહાદિથી ભિન્ન, અરૂપી, જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યમય એવો આત્મા છે. સગુરુ જેમણે તેનો યથાર્થ અનુભવ કર્યો છે, તેઓ આત્મા દેહથી ભિન્ન છે તે પ્રમાણે આત્માનું જ્ઞાન કરાવે તે જ સાચું જ્ઞાન છે. સમ્યજ્ઞાન છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ / ૬ો. મૂળ મારગ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમક્તિ | ૭ | મૂળ મારગ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિશ અસંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ II૮. મૂળ મારગ આ જ્ઞાનથી જે જાણ્યું તેમાં જ પ્રતીતિપૂર્વક એટલે સ્વાનુભૂતિયુક્ત શ્રદ્ધા કરે, આત્મા દેહથી ભિન્ન, અસંયોગી, અજર, અમર, અવિનાશી છે એવી પૂર્ણ શ્રદ્ધા રાખે તેને જ ભગવાને સમ્યક્દર્શન કહ્યું છે. આ દૃઢ શ્રદ્ધા પ્રતીતિપૂર્વક આત્મામાં સ્થિર થવું, આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ આચરણમાં હોવું તે સમ્યક્ ચારિત્ર છે. આ ત્રણે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે, મોક્ષપ્રાપ્તિનાં સાધન છે.
૨૫૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની