________________
અધ્યાત્મસાર’માં યોગ-અધિકાર ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલા અધ્યાત્મવિષયક ગ્રંથોમાં ‘અધ્યાત્મસાર અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથમાં મુખ્ય સાત પ્રબંધમાં ૯૪૯ શ્લોકો લખાયેલા છે. કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યકત્વ, મિથ્યાત્વ ત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમાં અલગ અલગ વિષયોની છણાવટ એમણે અલગ અલગ અધિકારમાં કરી છે. યોગ-અધિકાર’ આ અધિકારમાં ‘યોગ”નું સ્વરૂપ અને એના બે મુખ્ય પ્રકાર કર્મયોગ અને જ્ઞાનયોગનું વર્ણન કરેલું છે. યોગ’ શબ્દ માત્ર જૈન દર્શનમાં જ નહિ, સર્વ ભારતીય દર્શનોમાં વપરાયેલો શબ્દ છે. એટલે આ અધિકારમાં સર્વ ભારતીય દર્શનોના સમન્વય રૂપે જૈન દર્શનને સંમત એવી યોગના સ્વરૂપની રજૂઆત ઉપાધ્યાયજીએ કરી છે. ભગવદ્ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ મુખ્ય ત્રણ યોગની મીમાંસા સાંગાદિ દર્શન અનુસાર કરવામાં આવી છે. યોગ વિષેના આ અધિકારમાં યશોવિજયજીએ ગીતાની એમીમાંસાનો જૈન દર્શનને અનુરૂપ એવો સરસ સમન્વય કર્યો છે અને જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં ત્યાં ગીતાના શ્લોકો પણ ટાંક્યા છે.
યોગના સ્વરૂપ વિશે આરંભમાં યોગોના પ્રકાર બતાવ્યા છે. મુખ્ય બે પ્રકાર છે : કર્મયોગ અને જ્ઞાનયોગ. ‘યોગ” શબ્દ સંસ્કૃત યુગ” પરથી આવ્યો છે. “યુગ” એટલે જોડવું. જેમાં જોડાણ થાય તે યોગ. પોતાની જાતને ભક્તિમાં જોડવી તે ભક્તિયોગ. ક્રિયા અથવા કર્મમાં જોડવી તે કર્મયોગ. જૈન દર્શનમાં ‘કર્મ” શબ્દ કાર્મણ-વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ દ્વારા થતા શુભાશુભ બંધ માટે વપરાય છે. જીવ સર્વ કર્મથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી. આ પારિભાષિક અર્થમાં કર્મશબ્દ અહીં પ્રયોજાયેલો નથી. ભગવદ્ ગીતામાં કર્મયોગ શબ્દ જે રીતે પ્રયોજાયો છે તેવા અર્થમાં જૈન દર્શનની દૃષ્ટિએ અહીં પ્રયોજાયો છે. જૈન ધર્મમાં આવશ્યકાદિ જે ક્રિયાઓ છે તેના વિષયમાં ‘કર્મયોગ' શબ્દ વપરાય છે. મોક્ષમાર્ગની સાધના માટે જે ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જ જોઈએ તેને “આવશ્યક ક્રિયા કહેવામાં આવે છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવંદના છે. શ્રાવકની આવશ્યક ક્રિયાઓ અને દેવવંદન,
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૩૬