SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, સમાધિ” આમાં પ્રથમ ચાર યમ, નિયમ, આસન, પ્રાણાયામ બાહ્ય ક્રિયા છે જ્યારે તેની પશ્ચાત્ના પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અંત૨ના પરિણામ-સ્વરૂપ થતી નૈૠયિક અત્યંતર ક્રિયા છે. = પહેલા બે યમ અને નિયમ છે જે અણુવ્રત અને બાહ્યતપ છે. આ કર્મયોગ છે જે સાધનાનો પાયો છે. મધ્યનાં ત્રણ આસન - પ્રાણાયામ - પ્રત્યાહાર એ કાયયોગની સ્થૂલ સાધના છે, સાધનાનું ચણતર છે. છેવટના ત્રણ - ધારણા, ધ્યાન, સમાધિ એ સાધનાનું શિખર છે જે મનોયોગની સૂક્ષ્મ સાધના છે. એક એક યોગથી એકેક દોષ જાય છે અને એક એક દૃષ્ટિનો ઉધાડ થાય છે. અષ્ટાંગયોગથી નાભિપ્રદેશે આઠ રૂચક પ્રદેશ સ્થિત ચેતનાનો ઉઘાડ થતો જાય છે. ઉર્વીક૨ણ થતું જાય છે અને આત્માની ચેતનાને ઢાંકતાં આવ૨ણરૂપ આઠ કર્મોનાં પડળ તૂટતાં જાય છે. આ આવી રીતે સાધક મન તથા ઇંદ્રિયોને યોગમાં જોડવાથી પોતાના વિકલ્પો અને વિકા૨ો ૫૨ વિજય મેળવે છે. સ્વરૂપને સમજી, સ્વરૂપને અનુસરીને આત્મસ્વરૂપની પૂર્ણતાને પામે છે. આવી રીતે આ પદ દ્વારા અધ્યાત્મયોગી આનંદઘનજી અષ્ટાંગ યોગની યોગિક પ્રક્રિયા દ્વારા સાધનાનો ઉત્તમ માર્ગ બતાવે છે જેથી યોગી આત્મસ્વરૂપની પૂર્ણતા પામી શકે. પૂ. આનંદઘનજીનું ૧૧મું પદ છે - आतम अनुभव रीति वरीरी, आतम || मोर बनाए निजरूप निरुपम, तिच्छन रुचिकर तेग घरीरी ।। आतम.. ।।१।। टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी सत्ता थलमें मोह विदारत, ऐऐ सूरिजन मुह निसरीरी ।। आतम... ।।२।। केवल कमला अपच्छर सुंदर, गान करे रस रंग भरीरी; નીત નિરાાન વનારૢ વિરાને, આનંદ્યન સર્વશ ધરીરી ।। આતમ્... ।।રૂ।। આ પદનું 1વિવેચન જે મુક્તિદર્શનવિજયજીએ લખ્યું છે એમાં મોરનું દૃષ્ટાંત આપી યોગસાધનાનો માર્ગ બતાવ્યો છે. એ લખે છે કે મોરની યોગીના અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૨૨
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy