________________
આનંદઘનજીએ રચેલાં યોગલક્ષી પદો :
આમાંથી ઘણાં પદોમાં એમણે યોગસાધનાની વાત કરી છે જે નીચે પ્રમાણે છે. ૬ પદમાં એ કહે છે –
મહારો બાલ્ડો સંન્યાસી, દેહદે વળ મઠવાસી, ઈડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મ...ારા યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી. પ્રત્યાહાર ધારણાધારી, ધ્યાન સમાધિ સમાસી. મ... ||૩|| મૂલા ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યકસનવાસી, રેચક પૂરક કુંભક સારી, મન ઈંદ્રિય જયકાસી. મ... //૪ / સ્થિરતા જોય યુગતિ અનુકારી, આપોઆપ બિમાસી, આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી મ... સાપા
યોગસાધનાનું આ પ્રથમ ચરણ હોવાથી આનંદધનજીએ ચેતનને, આત્માને બાલુડાનું સંબોધન કર્યું છે. ચેતનને બાળો-ભોળો કહ્યો છે. બાળોભોળો ચેતન અર્થાત્ આત્મા દેહરૂપી મઠનો વાસી બન્યો છે. છતાં પણ દેહમાં મમત્વ ન રાખતાં એને મોક્ષપ્રાપ્તિનું ઉત્તમ સાધન માની યોગમાર્ગનો યોગી બને છે. પણ હજી મનને સ્થિર કરવાનું કાર્ય તો બાકી જ છે. મન સ્થિર ત્યારે જ થાય જ્યારે ઇડા અને પિંગલાના શ્વસનનો વિષમ માર્ગ તજી સુષુમ્ના નાડી સમ શ્વસનમાર્ગના જોગી થાય. આ શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ છે. તેમાં ૧૪ નાડીઓ મુખ્ય છે. તેમાં પણ પ્રધાન નાડીઓ ત્રણ છે. ઈડા, પિંગલા અને સુષુમ્ના. સુષુમ્ના નાડી મેરુદંડ (કરોડરજ્જ)ના મૂળમાંથી નીકળી જે બ્રહ્મરંધ્ર (સહસ્ત્રાકાર) કહેવાય છે ત્યાં સુધી જાય છે. ઇડા અને પિંગલા જમણે અને ડાબે બાજુ છે. સુષુમ્નાથી થતું શ્વસન સમ છે. પ્રાણ – શ્વસન ઉપર મન કેંદ્રિત કરતાં પ્રાણ પણ સમ બને છે અને એકાગ્ર થયેલું મન શાંત બને છે. મનની સ્થિરતા માટે આસનસ્થ થઈ કાયાની સ્થિરતા કરવાની છે અને પ્રાણને સમ બનાવવાનો છે. મનને વશ કરવાની આવી મનની સાધના માટે પ્રાણનો આયામ કરવાનો હોય છે. અહીં આનંદઘનજી મહર્ષિ પતંજલિએ બતાવેલ અષ્ટાંગ યોગનો માર્ગ કહે છે. “યમ,
(જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૧