________________
એના પછી આચાર્યે વૃદ્ધ-સેવા અર્થાત્ ગુરુજનોની સેવા કરવાનું કહ્યું છે.
આવી રીતે સાધક રાગાદિ કષાયોથી શૂન્ય, ઇંદ્રિયોના વિષયોની આસક્તિથી નિર્લેપ, કામેષણાથી રહિત અને ગુરુજનોંની સેવા માટે તત્પર બને ત્યારે સાથે એણે સમતાભાવ વિકસિત કરવાનો છે.
આવી રીતે યોગી યોગસાધના માટે અનુરૂપ વ્યક્તિત્વનો વિકાસ કરી એ ધ્યાનસાધનામાં આગળ વધી ધ્યાનસિદ્ધિ કરી પોતાનું અંતિમ ધ્યેય-મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
૨૧૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS