SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંદ્રિયોંના વિષયથી ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં ધારણ કરે એને પ્રત્યાહાર કહેવાય છે. જે યોગીનું મન આસક્તિરહિત અને સંવયુક્ત છે, જેણે પોતાની ઇંદ્રિયોને કાચબાની જેમ સંકુચિત કરેલી છે, વિષયોથી ખેંચીને પોતામાં સમાવિષ્ટ કરેલી છે, જે સમભાવયુક્ત છે એ ધ્યાનમાં સ્થિર થાય છે. પ્રત્યાહાર દ્વારા પોતાના ઇંદ્રિયોંને વિષયોથી હટાવીને ચિત્તને નિરાકુલ બનાવી સાધક પોતાના લલાટ પર નિશ્ચલતાપૂર્વક સ્થિર કરે. અહીં ધ્યાન ક૨વા માટે લલાટ સિવાય અન્ય સ્થાન પર જેમ કે નેત્રયુગલ, નાસિકાનો અગ્રભાગ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, બે ભ્રમરનો મધ્યભાગ આદિ સ્થાનો ૫૨ મનને વિષયરહિત બનાવી સ્થિર કરી શકાય છે. પ્રત્યાહાર કરવાથી મન રાગાદિ રૂપ વિકલ્પ રહિત થઈ સમભાવને પ્રાપ્ત કરે છે. આવી રીતે ધ્યાનની સિદ્ધિ માટે પ્રત્યાહારથી મનને સ્થિ૨ ક૨વાનું કહે છે. આત્માની ત્રણ અવસ્થા - બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ધ્યાનની સિદ્ધિ માટે આસનથી પ્રત્યાહાર, ધારણાનું વર્ણન કરી આ પ્રકરણમાં આચાર્ય શુભચંદ્ર આત્માને જાણવા માટે આત્માની ત્રણ અવસ્થાનું વર્ણન કરે છે અને અંતે પરમાત્માપદ પ્રાપ્ત કરવાનું કહે છે. પ્રથમ આત્માનો નિશ્ચય કરવાનું જરૂરી છે. કારણ કે આત્મામાં સ્થિર થવા માટે આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણવું જરૂરી છે. દેહ અને આત્માના ભેદવિજ્ઞાન વિના આત્માની પ્રાપ્તિ થતી નથી. જેને મોક્ષની પ્રાપ્તિ ક૨વી છે એમણે સમસ્ત પદ્રવ્યોરહિત આત્માનો નિશ્ચય કરવો જોઈએ. એટલે શરૂઆતમાં આત્માનો નિશ્ચય કરવાનું કહે છે. अज्ञातस्वस्वरूपेण परमात्मा न बुध्यते । आत्मैव प्राग्विनिश्चेयो विज्ञातुं पुरुषं परम् ।। ३२.१ ।। અર્થ : જેણે પોતાના આત્માનું સ્વરૂપ જાણ્યું નથી એ પુરુષ પ૨માત્માને જાણી શકતો નથી. એટલે પરમાત્માને જાણવાની ઇચ્છા રાખવાવાળો પ્રથમ આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’ ૨૦૩
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy