________________
પ્રથમ તો ગૃહસ્થાવસ્થામાં ઉત્તમ ધ્યાનનો નિષેધ કર્યો છે. એ કહે છે કે ગૃહસ્થ ઘરમાં રહી પોતાના ચંચલ મનને વશમાં રાખવા અસમર્થ હોય છે. એટલે જ ચિત્તની શાંતિ માટે પુરુષ ગૃહત્યાગ કરી એકાંત સ્થાનમાં જઈ ધ્યાનની સાધના કરે છે.
ગૃહસ્થાવસ્થા છોડી મુનિ હોય પણ જો મિથ્યાષ્ટિ હોય તો એમને પણ ધ્યાનની સિદ્ધિ થતી નથી. એનું કારણ સમજાવતાં કહે છે કે સત્ય દર્શનવાળા બધા એકાંતવાદી છે અને વસ્તુસ્વરૂપ અનેકાન્તાત્મક છે એટલે એ વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવામાં અસમર્થ છે.
ત્રીજા જે જૈન સાધુ કહેવાય છે પરંતુ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી, જે માયાચારી છે, જે મુનિ થઈને પણ પરિગ્રહ કરે છે, પોતાની કીર્તિ, પ્રતિષ્ઠામાં આસક્ત છે, જેમનું ચિત્ત ચંચલ છે એવા જૈન મુનિઓમાં પણ ધ્યાનની યોગ્યતા હોતી નથી.
ધ્યાતા મુનિઓની યોગ્યતા બતાવતાં કહે છે - જે સંયમી મુનિ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે છે, મનમાં સંવેગરૂપ છે, મોક્ષ તથા મોક્ષમાર્ગના અનુરાગી છે અને સંસારજનિત સુખોથી નિસ્પૃહ છે એ મુનિ ધન્ય છે એવા યોગીશ્વર ધ્યાનની સિદ્ધિના પાત્ર છે.
કષાય જય :
જે મુનિ ધ્યાન કરવાની યોગ્યતાવાળા છે એવા યોગીશ્વરોને ધ્યાનની સિદ્ધિ માટે કષાય જય કરવાનું કહે છે. કારણ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય ધ્યાનના ઘાતક છે એટલે એ ચાર કષાયોના સ્વરૂપનું વર્ણન કરી એમનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે – शमाम्बुभिः क्रोधशिखी निवार्यताम्
નિયણાં માનમુદ્દામાáર્વ: | इथं च मायाऽऽर्जवतः प्रतिक्षणं
નિરીદતાં વાશ્રય સ્ત્રોમાન્તિ પા૨૨.૭૨ા જ્ઞાનાર્ણવ અર્થ : હે આત્મન ! શાંતભાવરૂપી જલથી ક્રોધરૂપી અગ્નિનું નિવારણ કર.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
૧૯૭