________________
કર્મગ્રંથમાં આ કષાયોની સ્થિતિ, ગતિ આદિ બતાવતાં કહ્યું છે - ની - ગવ - વરિસ - ર૩મીસ - પશ્નરવું - નિર- તિરિ - નર - ૩{T I સT-ડv[ - વ્ય - વિરડું- હેવ રાય - વરિત્ત - થાય - વલી ૨૮ાા
કર્મગ્રંથ ભાગ-૧ અર્થ : જાવજીવઃ વરસ: ચાર માસ અને પખવાડિયા સુધી રહેનારા, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના કારણભૂત સમ્યત્વ, દેશવિરતિ સર્વવિરતિ અને યથાખ્યાત ચારિત્રનો નાશ કરનાર છે.
એટલે જેના વડે સંસારની પ્રાપ્તિ થાય તે કષાય શરીરધારી સંસારીઓને હોય છે. જ્યારે સિદ્ધાત્માઓને કષાય હોતા નથી. આ ક્રોધાદિ ચારે કષાયો સંજ્વલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી એમ ચાર ચાર પ્રકારના હોઈ કુલ સોળ ભેદ થાય છે. હવે આ કષાયોની સમય-મર્યાદા બતાવે છે. સંજ્વલન કષાયો એક પખવાડિયાની મર્યાદાવાળા છે. જે વીતરાગપણાનો નાશ કરનાર અને દેવપણું આપનાર છે. પ્રત્યાખ્યાન કષાયો ચાર માસની મર્યાદાવાળા, સાધુપણાનો નાશ કરનાર અને મનુષ્યગતિ અપાવનાર છે. અપ્રત્યાખ્યાન કષાયો એક વર્ષની મર્યાદાવાળા, શ્રાવકપણાનો ઘાત કરનાર અને તિર્યંચગતિ આપનાર છે. જ્યારે અનંતાનુબંધી કષાયો મિથ્યાત્વ સહિત હોવાથી અનંતાભવ બંધાવનાર હોય છે. આ કષાયો યાવતું જીવન સુધી રહેનાર, સમ્યકત્વનો ઘાત કરનાર અને નરકપણું આપનાર છે.
આ ચાર કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ શરીર તથા મનને ઉપતાપ કરનાર છે. નરકગતિરૂપ દુર્ગતિના માર્ગે લઈ જનાર છે. આત્માના પરમ આનંદને રોકનાર છે. એટલે આવા ક્રોધરૂપી કષાયને શાંત કરવા માટે આચાર્ય હેમચંદ્રાચાર્ય ક્ષમાનો આશ્રય લેવાનું કહે છે. દેવતાઓએ પણ મહાન તપસ્વી પણ ક્રોધી મુનિને છોડી નિરંતર ભોજન કરનાર પણ ક્ષમાશીલ કુરગડુ મુનિને વંદના કરી. માટે ક્રોધરૂપ અગ્નિને શાંત કરવા માટે ક્ષમા જ સમર્થ છે.
બીજા માનકષાયનું સ્વરૂપ બતાવતાં કહે છે – વિનય, વિદ્યા, શીલ તથા ધર્મ, અર્થ, કામરૂપ ત્રણ વર્ગનો નાશ કરનાર વિવેકચલુનો લોપ કરી મનુષ્યને અંધ બનાવનાર માનકષાય છે. જાતિનો, લાભનો, કુળનો, ઐશ્વર્યનો, બલનો, રૂપનો, તપ અને જ્ઞાનનો મદ કરનાર માણસ જન્માંતરમાં તે વસ્તુની હીનતાને
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૫