________________
ગુપ્તિથી યુક્ત એવો જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. આ આત્મજ્ઞાન આત્માથી જુદું નથી. પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્માના પોતાના અનુભવ રૂપે જ જાણી શકાય છે. એ જ પ્રમાણે દર્શન અને ચારિત્ર પણ આત્માથી જુદા નથી. જ્યારે સ્વસ્વભાવમાં, સ્વસ્વરૂપમાં આત્મા રહે છે ત્યારે આ આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે. અને કર્મના યોગથી તે જ આત્મા દેહધારી બને છે. શુક્લધ્યાનરૂપ અગ્નિએ કરી કર્મોને બાળીને શરીરરહિત થાય છે. ત્યારે નિર્મળ એવો સિદ્ધત્મા થાય છે. કષાય તથા ઇંદ્રિયો વડે જિતાઈ જાય છે ત્યારે આત્મા તે જ સંસાર છે અને જ્યારે તે કષાય અને ઇંદ્રિયોને જીતનાર થાય છે ત્યારે જ્ઞાનીઓ તેને મોક્ષ કહે છે. એટલે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કષાય જય કરવાનું કહે છે અને એના માટે કષાયનું સ્વરૂપ વર્ણાવે છે. 2 કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયો કહેલા છે. કષાય શબ્દનો અર્થ કરીએ તો – કષ : એટલે સંસાર અથવા કર્મ અને આય : એટલે પ્રાપ્તિ.
કષાયના ૧૬ ભેદ
| કષાય અનંતાનુબંધી | અપ્રત્યાખ્યાન | પ્રત્યાખ્યાન | સંજ્વલન | ક્રોધ | અનંતાનુબંધી ક્રોધ | અપ્રત્યાખ્યાની ક્રોધ | પ્રત્યાખ્યાની ક્રોધ | સંજ્વલન ક્રોધ માન | અનંતાનુબંધી માન અપ્રત્યાખ્યાની માન પ્રત્યાખ્યાની માન| સંવલન માન માયા | અનંતાનુબંધી માયા અપ્રત્યાખ્યાની માયા|પ્રત્યાખ્યાની માયા, સંજ્વલન માયા લોભ અનંતાનુબંધી લોભ અપ્રત્યાખ્યાની લોભ પ્રત્યાખ્યાની લોભ| સંજ્વલન લોભ
આ કષાયોની સમયમર્યાદા અને એનાથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે?
સ્થિતિ | ગતિ અનંતાનુબંધી કષાય | માવજીવ નરક અપ્રત્યાખ્યાની કષાય એક વર્ષ તિર્યંચ પ્રત્યાખ્યાન કષાય | ચાર માસ મનુષ્ય સંજ્વલન કષાય | ૧૫ દિવસ | દેવગતિ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની