________________
સર્વ પાપ-વ્યાપાર છોડી એક મુહૂર્ત સુધી સમભાવમાં રહેવું. સામાયિક વ્રતથી કર્મની મહાનિર્જરા થઈ ચંદ્રાવતંસક રાજાની જેમ સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
- દેશાવકાશિક : આ દિગુવ્રતમાં દશ દિશામાં જે પરિમાણ નક્કી કરેલું હોય છે તેનો આ વ્રતમાં દિવસે, રાત્રે કે એક પ્રહર માટે વિશેષ સંક્ષેપ કરવાનો હોય છે.
પૌષધવત ઃ જેમાં પર્વતિથિના દિવસે ઉપવાસાદિ તપ કરવું. પાપવાળા વ્યાપારનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરશોભાનો ત્યાગ કરવો એમ ચાર પ્રકારનાં પૌષધવ્રત છે. અહીં ચલની પિતાની કથાના દૃષ્ટાંતથી શ્રાવકોએ પોષધવ્રતના પાલનમાં કેવી રીતે દૃઢ થવું જોઈએ એ સમજાવ્યું છે.
અતિથિસંવિભાગ વ્રત : ચોથું શિક્ષાવ્રત એટલે ગૃહસ્થ ધર્મનું બારમું વ્રત અતિથિસંવિભાગ નામનું વ્રત છે જેમાં સાધુ ભગવંતરૂપ અતિથિઓને ચારે પ્રકારનો આહાર, પાત્ર, વસ્ત્ર અને મકાન આદિ સંયમસાધનોનું દાન આપવું. આ વ્રતનું સ્વરૂપ સમજાવતાં સુપાત્રદાનવિષયક સંગમકની કથા આપેલી છે. આ દાનના પ્રભાવથી ઉત્તરોત્તર પરંપરાએ મોક્ષફળ બતાવ્યું છે. આવી રીતે શ્રાવકનાં ૧૨ વતો સમજાવી પછી એમાં લાગતા અતિચારો કહ્યા છે જેનો ત્યાગ કરવો. કારણ અતિચારવાળાં વ્રતોથી કલ્યાણ થતું નથી. અને પંદર પ્રકારના કર્માદાનના વેપારધંધાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યો છે.
મહાશ્રાવકની વ્યાખ્યા સમજાવતાં પોતાનું શુભ દ્રવ્ય સાત ક્ષેત્રે જિનબિંબ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) વાપરવાનું કહે છે. મહાશ્રાવકની દિનચર્યા બતાવી છે. બ્રાહ્મમુહૂર્તમાં જાગ્રત થઈ પંચપરમેષ્ઠિ મંત્રની સ્તુતિ કરી શ્રાવકે પોતાનો ધર્મ કયો છે અને પોતે કયાં કયાં વ્રતો અંગીકાર કર્યા છે તે સર્વ યાદ કરી પવિત્ર થઈ ગૃહચૈત્યમાં રહેલ દેવાધિદેવની પૂજા કરી પોતાની શક્તિ અનુસાર પચ્ચખાણ લઈ મોટા દેરાસરે દર્શન કરવા જાય. વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી દસ ત્રિક સાચવી ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરી ઉત્તમ સ્તવનો વડે સ્તુતિ કરવી. આવી રીતે દેવવંદન કર્યા પછી ધર્માચાર્ય- ગુરુ ભગવંતોને વિધિપૂર્વક, વિનયપૂર્વક વંદન કરે. દેવસાક્ષીએ કરેલું પચ્ચખાણ ગુરુ પાસે ફરી કરવું અને ગુરુ પાસે ધર્મદેશના સાંભળવી. ગુરુ પાસેથી પાછા ફર્યા બાદ ધર્મને બાધા ન પહોંચે
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૧