________________
આત્મા માટે જરૂરી ૩૫ ગુણો પૈકી પહેલા ગુણનું નામ ન્યાયસંપન્ન વિભવ છે. ન્યાયસંપન્ન વિભવ એટલે ન્યાયથી ઉપાર્જન કરેલ વૈભવ. સતી સ્ત્રીપરપુરુષનું ધ્યાન નથી ધરતી તેમ માર્ગાનુસારી ગૃહસ્થ અન્યાયથી મેળવેલ ધનનો વિચાર પણ ન કરી શકે. યોગમાર્ગ પર ચાલવા માટે આ પાયાના ગુણના ત્રિવિધ પાલનની જરૂર છે. માર્ગાનુસારીનો બીજો ગુણ શિષ્ટાચાર પ્રશંસા છે. શિષ્ટ આચાર સંપન્ન પુરુષ એટલે જ્ઞાનથી અથવા વયથી વૃદ્ધ પુરુષોની સેવા કરી ઉત્તમ શિક્ષા મેળવી હોય તેવા પુરુષોના ગુણોની પ્રશંસા કરવી, આદર કરવો તેમજ તેમને અનુસરવા પ્રયત્ન કરવો તે શિષ્ટાચાર પ્રશંસા છે. આવી રીતે યોગમાર્ગમાં જવા ઉત્સુક મનુષ્ય માટે ગૃહસ્થ ધર્મને લાયક થવા માટે ૩૫ ગુણોનું પ્રતિપાદન કરેલું છે. આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં ૪૭-૫૬ શ્લોકમાં માર્ગાનુસારીના આ ગુણો વર્ણવ્યા છે.
બીજો પ્રકાશ પ્રથમ પ્રકાશમાં ગૃહસ્થને યોગનો અધિકારી બનવા માટે જરૂરી એવા ૩૫ ગુણોનું વર્ણન કરેલું છે. પૂ.આચાર્ય હેમચંદ્ર ગૃહસ્થધર્મનો અધિકારી થઈ શકે છે એમ કહે છે એના માટે બીજા પ્રકાશમાં ગૃહસ્થધર્મ એટલે કે શ્રાવકધર્મના બાર વ્રત - પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત કહે છે જેના મૂળમાં સમ્યકત્વ છે. એટલે પ્રથમ સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે.
या देवे देवताबुद्धि, गुरौच गुरुतामतिः । થર્ષે ર થર્મથી: શુદ્ધા, સ્વિમિમુચ્યતે Iી યોગશાસ્ત્ર
અર્થ : જે દેવને વિશે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિશે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિશે શુદ્ધ ધર્મબુદ્ધિ તે સમ્યકત્વ કહેવાય છે. જ્યારે દેવના ગુણો ન હોય છતાં તેમાં દેવબુદ્ધિ, ગુરુનાં લક્ષણો ન હોય છતા ગુરુબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ થાય તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. અહીં સુદેવ, સુગુરુ, સુધર્મના લક્ષણ બતાવે છે.
સુદેવ ઃ સર્વજ્ઞ, રાગદ્વેષાદિ દોષો પર વિજય મેળવનાર, ત્રણ લોકમાં પૂજનીય, યથાર્થ પદાર્થ-સ્વરૂપ કહેનારા એવા દેવ તે અરિહંત પરમેશ્વર દેવ છે. સુગુરુ ઃ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૪