________________
છે, ફૂલને પીડા આપતો નથી તેમ ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલ આહારમાંથી, તેમને કષ્ટ ન થાય, ફરી બનાવવો ન પડે તેવી રીતે અલ્પ આહાર મુનિઓ ગ્રહણ કરે છે તે એષણાસમિતિ કહેવાય છે.
આદાન-નિક્ષેપસમિતિઃ આસન, વસ્ત્ર, પાત્ર વગેરે કોઈ પણ ઉપયોગમાં આવતી વસ્તુ નજરથી જોઈને ગ્રહણ કરવી, રજોહરણથી પૂજીને જયણાપૂર્વક લેવા-મૂકવી. તે આદાન-નિક્ષેપ-સમિતિ કહેવાય છે.
ઉત્સર્ગ સમિતિ ઃ મુનિ મળ, મૂત્ર વગેરે પરઠવવા યોગ્ય પદાર્થોને જીવજંતુરહિત જમીન પર યત્નાપૂર્વક ત્યાગ કરે તે ઉત્સર્ગ સમિતિ છે.
ત્રણ ગુપ્તિ નીચે પ્રમાણે કહી છે :
મનોગુપ્તિઃ આર્ટ્સ, રોદ્રધ્યાનનો ત્યાગ કરી આત્માને સમભાવમાં સ્થાપન કરવું, મનને અશુભમાં જતું રોકી ધર્મધ્યાનમાં સ્થિર કરવું અને છેલ્લે મનને આત્મભાવમાં રમણ કરાવવું એ મનોગુપ્તિ છે.
વચનગુપ્તિ : સંજ્ઞાનો ત્યાગ કરી જે મૌનપણાનું આલંબન લેવું અથવા વાચાનો નિરોધ કરવો.
કાયગુપ્તિઃ શયન કરવું, બેસવું, મૂકવું, લેવું, ચાલવું વગેરે ક્રિયાઓ સંબંધમાં નિયમ રાખવો. આ ક્રિયાઓ કરતી વખતે રજોહરણથી પ્રમાર્જન કરીને કરવી એ કાયગુપ્તિ છે.
ચારિત્ર સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારે છે. પાંચ મહાવ્રતરૂપ મૂલગુણ અને અષ્ટપ્રવચન માતા ઉત્તરગુણ સહિત સર્વવિરતિ ચારિત્ર હોય છે. જે ઉત્તમ સાધુ-ભગવંતોને હોય છે. જ્યારે દેશવિરતિ ચારિત્ર ગૃહસ્થોને હોય છે. સર્વવિરતિ કરી ન શકતા હોવા છતાં સર્વવિરતિને ચારિત્રમાં અભિલાષવાળા, સર્વવિરતિ અમુક અંશનું એટલે કે દેશવિરતિનું પાલન કરવાવાળા હોય છે. અહીં આચાર્ય હેમચંદ્રાચાર્ય ગૃહસ્થોને દેશવિરતિ ચારિત્રનું પાલન કરવા માટે કેવું વર્તન જરૂરી છે, ગૃહસ્થોને મોક્ષમાર્ગ પર એટલે કે યોગમાર્ગ પર ચાલવા માટે પાયાના ૩૫ ગુણો વર્ણવ્યા છે જેને માર્ગનુસારિતાના ૩૫ ગુણો કહ્યા છે. માર્ગાનુસારી એટલે ઉન્માર્ગનો ત્યાગ કરીને મોક્ષ સાથે જોડનારા ધર્મમાર્ગને અનુસરનારો, ધર્મમાર્ગનો, યોગમાર્ગનો અભિલાષી. આ માર્ગને અનુસરનારા
(કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
૧૫૩
૧૫૩