SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ટળે છે અને તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી ‘આઠ દૃષ્ટિની સક્ઝાય’માં ચોથી દીપ્રાદૃષ્ટિની સક્ઝાયમાં દીપ્રાદૃષ્ટિને વર્ણવતા કહે છે – યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથી જી, દીપપ્રભાસમ જ્ઞાન II૧ાા પ્રાણાયામના બે ભેદ છે : દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ તેની ત્રણ અવસ્થાઓ છે : રેચક, પૂરક અને કુંભક અંદરમાં રહેલા અશુદ્ધ વાયુને બહાર કાઢવો તે રેચક. બિહારના શુદ્ધ વાયુને અંદર લઈ જવો તે પૂરક. તેને અંદર શરીરમાં સ્થિર કરવો તે કુંભક. યોગદર્શનમાં પતંજલી ઋષિ આદિ યોગાચાર્યો દ્રવ્ય પ્રાણાયામને જ યોગનું ચોથું અંગ માને છે. - तस्मिन् सति श्वासप्रश्वास योर्गतिविच्छेदः प्राणायामः ।। २.४९।। પાતંજલ યોગસૂત્ર, સાધનાપાદ અર્થ : તે (આસનની સ્થિરતા થયે શ્વાસ-પ્રશ્વાસની ગતિને વિચ્છેદ તે પ્રાણાયામ છે. પણ જૈન દર્શનના યોગાચાર્યોએ આ શ્વાસ-ઉચ્છવાસના રૂંધનરૂપ દ્રવ્યપ્રાણાયામને સ્વીકાર્યો નથી. માટે અહીં ભાવપ્રાણાયામને સ્વીકારેલો છે. (૧) આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચક ભાવપ્રાણાયામ (૨) આત્મામાં અતંરાત્મભાવ પ્રગટાવવો તે પૂરક ભાવપ્રાણાયામ (૩) આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભક ભાવપ્રાણાયામ ભાવપ્રાણાયામથી અવશ્ય યોગદશા પ્રગટે છે. આ દૃષ્ટિમાં ઉત્થાનદોષ રહેતો નથી. ઉત્થાન એટલે ઊઠી જવું. યોગદશામાંથી મનનું ઊઠી જવું તે ઉત્થાનદોષ. આ દૃષ્ટિમાં સ્વીકારેલ યોગમાર્ગમાં મન બરાબર લાગેલું જ રહે છે. ઊઠી જતું નથી. અર્થાત્ ઉત્થાનદોષ આ દૃષ્ટિમાં અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ) ૧૨૬
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy